શોધખોળ કરો
સરકારે 11.44 લાખ PAN કર્યા નિષ્ક્રિય, તમારું કાર્ડ આ યાદીમાં છે કે નહીં? જાણો આ રીતે
1/5

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે અત્યર સુધી અંદાજે 11.44 લાખથી વધારે પાન કાર્ડ બંધ કર્યા છે અથવા તો ડિએક્ટિવ કર્યા છે. આ જાણકારી કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી સંતોષ કુમાર ગંગવારે સંસદમાં આપી હતી. તેમણે એ પણ જણાવ્યું કે પાન કાર્ડ ડિએક્ટિવ અથવા રદ્દ એવી જગ્યાએ કરવામાં આવ્યા જ્યાં એક જ વ્યક્તિના નામે એકથી વધારે પાન કાર્ડ ફાળવવામાં આવ્યા હોય. તેમણે રાજ્યસભામાં લેખીતમાં જવાબ આપતા કહ્યું કે, 7 જુલાઈ સુધી 1144211 પાન કાર્ડની ઓળખ કરવામાં આવી જેમાં જાણવા મળ્યું કે એક જ વ્યક્તિના નામે એકથી વધારે પાન કાર્ડ છે. હવે કાં તો તેને બંધ કરવામાં આવ્યા છે અથવા ડિએક્ટિવ કરવામાં આવ્યા છે.
2/5

જે બાદ તમારા રજીસ્ટર્ડ મોબાઈલ પર OTP પાસવર્ડ આવશે. જે બાદ OTP નંબર એન્ટર કરીને વેબસાઈટમાં નેક્સટ પેજ ક્લિક કરી “Validate” બટન દબાવવાનું હોય છે. જો, તમારા નામે એકથી વધારે પાન નંબર રજીસ્ટર્ડ હશે તો “ આ નામથી એકથી વધારે રેકોર્ડ છે” તેવી નોટિસ પોપઅપ થશે. અને વધારાની માહિતીઓ ભરવાની રહેશે. જેમાં તેઓ તમારા પિતાનું નામ જેવી વિગત પૂછી શકે છે. આટલી જરૂરી માહિતી દર્શાવ્યાં બાદ, તમને તમારૂ પાન કાર્ડ પ્રમાણભૂત અને સક્રિય છે કે નહીં તે અંગેની જાણકારી મળશે.
Published at : 07 Aug 2017 12:35 PM (IST)
View More























