શોધખોળ કરો
GSTમાં મળી શકે છે મોટી રાહત, AC રેસ્ટોરાંમાં ટેક્સ ઘટાડીને 12% કરવાની ભલામણ
1/4

કંપોઝિશન યોજના એ વિનિર્માતાઓ રેસ્ટોરાં તથા વેપારીઓ માટે છે જેમનો કારોબાર એક કરોડ કરતાં વધારે નથી. પૂર્વમાં આ સીમા 75 લાખ રૂપિયા હતી અને જીએસટી પરિષદે આ સીમા ઑક્ટોબરમાં વધારીને એક કરોડ રૂપિયા કરવામાં આવી છે. જે હેઠળ કરની ચૂકવણી કરવાની હોય છે અને નિયમિત કરદાતાએ માસિક આધાર પર વેરો ચૂકવવાનો હોય છે. તો એકમુશ્ત કંપોઝીશન યોજનામાં ફક્ત એખ રિર્ટન ભરવાની જ જરૂરિયાત હોય છે. અને ત્રિમાસિક ગાળાના આધારે કર ચૂકવવાનો હોય છે.
2/4

અસમના નાણા મંત્રી હેમંત બિશ્વા સરમાની અધ્યક્ષતામાં બનેલી જીઓએમ જીએશટી એકમુશ્ત યોજનાના પરિઘમાં ન આવનારી એસી તથા નોન એસીરેસ્ટોરાં વચ્ચેના અંતર મિટાવવા માટે પણ સૂચન કર્યું છે. સમિતિએ આ યોજનાના પરિઘમાં ન આવનારી રેસ્ટોરાં પર જીએશટીનો દર 12 ટકા રાખવાનું સૂચન કર્યું છે. જોકે જે હોટેલમાં રૂમનુ બાડું 7,500 રૂપિયા કરતાં વધારે છે તેની પર 18 ટકાના દરે કર લગાવવાની ભલામણ કરી છે. નોંધનીય છેકે ઑક્ટોબરમાં મળેલી એક બેઠકમાં જીઓએમની રચના કરવામાં આવી હતી. જેને રેસ્ટોરાંના જુદા જુદા માળખા તથા તેના કર અંગે વિચારણા કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
Published at : 30 Oct 2017 12:21 PM (IST)
View More























