શોધખોળ કરો
ગુજરાતના ઉદ્યોગો આગામી વર્ષોમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાંથી પસાર થશે, જાણો વિગત
1/4

ઉપાધ્યક્ષ તેજિન્દર ઓબેરોયે ઉમેર્યું હતું કે, ‘વિદેશના બજારો ઉપરાંત આપણા પોતાના રાજ્યમાં ઉપલબ્ધ આ તકો સાથે ગુજરાતના આઈટી, આઈટીઈએસ અને ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગો સ્થાનિક તેમજ વૈશ્વિક બજારો માટે અજોડ સ્થિતિનો લાભ મેળવી શકે છે.’ ગેસિઆના માનદ સચિવ પ્રણવ પંડ્યાએ જણાવ્યું હતું કે, ‘સંગઠને સભ્ય કંપનીઓને આ સેક્ટરની જરૂરિયાતો પૂરી કરવા અને વિકાસ કરવા માટે નવીન ઉત્પાદનો, સોલ્યુશન્સ અને આઈપી વિકસાવવા બળ પૂરું પાડવાનો નિર્ણય કર્યો છે.’
2/4

અમદાવાદ: ગેસિઆ આઈટી એસોસિએશન દ્વારા વર્ષ 2018-19 માટે નવા પદાધિકારીઓની નિમણૂકકરવામાં આવી છે. નેટવેબ સોફ્ટવેરના સીઈઓ મૌલિક ભણસાલી સંસ્થાના અધ્યક્ષ અને નિર્દેશક તરીકેનો હોદ્દો સંભાળશે, જ્યારે સીગ્નેટ ઈન્ફોટેક પ્રા. લિ.ના તેજિન્દર ઓબેરોય નવા ઉપાધ્યક્ષ અને નિર્દેશક બન્યા છે. દેવ આઈટી લિ.ના સહસ્થાપક અને અધ્યક્ષ પ્રણવ પંડ્યા નવા સચિવ અને નિર્દેશક છે તથા સમ્સ કોર્પસોલ્યુશન્સના ઉમેશ રતેજા સંયુક્ત સચિવ અને નિર્દેશક છે. ઈઝી પે પ્રા. લિ.ના નિલય પટેલ ખજાનચી અને નિર્દેશક તરીકે નિયુક્ત થયા છે.
Published at : 18 Dec 2018 07:09 PM (IST)
Tags :
Business NewsView More





















