શોધખોળ કરો
Idea અને Vodafoneની મર્જરની જાહેરાત, બનશે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની
1/4

નવી દિલ્હીઃ કુમાર મંગલમ બિરલાની માલિકી ધરાવતી દેશની ત્રીજા નંબરની ટેલિકોમ કંપની આઈડિયા સેલ્યુલરે વોડાફોન ઇન્ડિયાની સાથે મર્જરની જાહેરાત કરી દીધી છે. કંપનીએ સોમવારે જણાવ્યું કે, તેના બોર્ડે આ મર્જરને મંજૂરી આપી દીધી છે. તે અંતર્ગત વોડાફોન ઇન્ડિયા અને તેની સંપૂર્ણ માલિકી ધરાવતી સહાયક કંપની વોડાફોન મોબાઈલ સર્વિસીસ લિમિટેડ અને આદિત્ય બિરલા ગ્રુપની આઇડિયા સેલ્યુલરનું મર્જર થસે અને નવી કંપની ભારતી એરટેલને પાછળ છોડીને દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની બની જશે.
2/4

આઇડિયાએ કહ્યું છે કે નવી કંપનીમાં વોડાફોનની પાસે 45 ટકા હિસ્સેદારી હશે. તો આઇડિયાની પાસે 26 ટકા હિસ્સેદારી હશે. આઇડિયાએ હાલ કહ્યું છે કે વોડાફોન અંદાજે 4.9 ટકા હિસ્સેદારી આઇડિયા પ્રમોટર્સને ટ્રાન્સફર કરશે. માનવામાં આવી રહ્યું છે કે આ ટેલિકોમ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી ડીલ છે. મર્જર બાદ બનનારી નવી કંપની ટેલિકોમ સેકટરમાં દેશની સૌથી મોટી કંપની હશે, જેના અંદાજે 38 કરોડ ગ્રાહકો હશે.
Published at : 20 Mar 2017 10:31 AM (IST)
View More























