જો તમારી ઇન્કમ લિમિટ એટલે વાર્ષિક આવક વાર્ષિક 2.5 લાખ રૂપિયાથી ઓછી હોય તો પણ તમારે તમારું આધાર PAN સાથે સાથે લિન્ક કરાવવું પડશે. કેન્દ્ર સરકારે 1 જુલાઇથી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરનારા માટે આધારને પાન કાર્ડ સાથે લિંક કરવાનું ફરજીયાત કરી દીધું છે. તેના વગર ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ નહીં કરી શકાય. સરકારે ટેક્સ ચોરી રોકવા માટે આ પગલું ભર્યું છે. ફાઇનાન્સ મિનિસ્ટર અરૂણ જેટલીએ દાવો કર્યો હતો કે લોકો એકથી વધુ પાન બનાવીને ટેક્સ ચોરી કરતા હતા.
2/4
નવી દિલ્હીઃ જો તમે તમારો પાન નંબરને આધાર નંબર સાથે લિંક નહીં કરાવો તો તમારો પાન નંબર આપોઆપ રદ્દ થઈ શકે છે અને તેના વગર ભવિષ્યમાં તમે આવકવેરા રિટર્ન ભરી નહીં શકો. નાણાં મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, રિટર્ન ભરાવ માટે આધાર નંબરને પાન નંબર સાથે લિંક કરાવવું જરૂરી છે, રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ 5 ઓગસ્ટ છે અને પાન સાથે આધાર લિંક કરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ છે.
3/4
જો 31 ઓગસ્ટ સુધીમાં કોઇએ પોતાનું ઇન્કમ ટેક્સ રીટર્ન આધારને PAN સાથે લિન્ક નહીં કરે તો તેનું રીફન્ડ પ્રોસેસ નહિ થાય. એટલે કે આધારને PAN સાથે લિન્ક કર્યું હશે તો જ તમને રીફન્ડ મળી શકશે.
4/4
જો 31 ઓગસ્ટ સુધીમાં કોઇએ પોતાનું ઇન્કમ ટેક્સ રીટર્ન આધારને PAN સાથે લિન્ક નહીં કરે તો તેનું રીફન્ડ પ્રોસેસ નહિ થાય. એટલે કે આધારને PAN સાથે લિન્ક કર્યું હશે તો જ તમને રીફન્ડ મળી શકશે.