શોધખોળ કરો

માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી

Javeayah Harris murder case: માસૂમ જાવેયાની ઘાતકી હત્યા છુપાવવા કેમિકલનો ઉપયોગ કર્યો; હેવાનિયત જોઈ પોલીસ વડા પણ ધ્રૂજી ઊઠ્યા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • માતા-પિતાએ ચાર વર્ષની પુત્રીની હત્યા કરી, કેમિકલમાં મૃતદેહ ઓગાળ્યો.
  • ગુનો છુપાવવા તેમણે દીકરી ગુમ થયાની ખોટી ફરિયાદ કરી હતી.
  • પોલીસ તપાસમાં માતા દ્વારા બાળકીને જીવલેણ ઇજાઓ આપ્યાનું ખુલ્યું.
  • શરીરના અવશેષો ખાડીમાંથી મળ્યા, DNAથી બાળકીની ઓળખ સુનિશ્ચિત થઈ.

Javeayah Harris murder case: અમેરિકાના સાઉથ કેરોલિનામાંથી એક એવી હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે, જેણે માનવતાને શર્મસાર કરી દીધી છે. અહીં એક કળિયુગી માતા-પિતાએ પોતાની જ 4 વર્ષની માસૂમ પુત્રીની નિર્મમ હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં, પોતાના આ પાપી કૃત્ય પર પડદો પાડવા માટે તેમણે બાળકીના મૃતદેહને તીવ્ર કાટ લાગતા કેમિકલ (રસાયણો) માં ઓગાળી દીધો અને ત્યારબાદ તેના અવશેષોને એક ખાડીના પાણીમાં વહાવી દીધા હતા. આ ભયાનક મામલાનો ખુલાસો થતાં જ સ્થાનિક પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે. એકેન કાઉન્ટીના શેરિફ માર્ટી સોયરે આ સમગ્ર ઘટનાને અત્યંત ઘૃણાસ્પદ, બર્બર અને ક્રૂર ગણાવી છે.

ડેઇલી મેઇલના અહેવાલ મુજબ, 4 વર્ષની માસૂમ જાવેયા હેરિસનું મૃત્યુ આશરે એક મહિના પહેલાં જ નીપજ્યું હોવાની આશંકા છે. જોકે, પાપી માતા-પિતા મિશિલે હેરિંગ અને જોનમારિયા હેરિસે 30 જૂનના રોજ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે દીકરી ગુમ થઈ હોવાની ખોટી ફરિયાદ નોંધાવી હતી. તેમણે પોલીસ સમક્ષ એવો દાવો કર્યો હતો કે બાળકી સાઉથ કેરોલિનાના એકેન વિસ્તારમાં આવેલા તેમના ઘરની બહારથી અચાનક હવામાં ગાયબ થઈ ગઈ છે.

પરંતુ, પોલીસે જ્યારે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી ત્યારે સત્ય કંઈક અલગ જ બહાર આવ્યું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે માતા મિશિલે હેરિંગે જાવેયાને જીવલેણ ઈજાઓ પહોંચાડીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ બાળકીના શરીરનો નિકાલ કરવા માટે આ દંપતીએ એક સાઝિશ રચી અને તેના નાના શરીરને ઝડપથી નષ્ટ કરવા માટે કાટ લાગતા કેમિકલ અને અન્ય સાધનોનો ઉપયોગ કર્યો હતો. બાદમાં આ ઓગળેલા અવશેષોને તેમણે સીડર ક્રીક જળાશયમાં ફેંકી દીધા હતા.

આ નરાધમોની હેવાનિયતથી ગુસ્સે ભરાયેલા શેરિફ માર્ટી સોયરે તેમને 'માતા-પિતા' કહેવાનો પણ સાફ ઇનકાર કરી દીધો છે. તેમણે જણાવ્યું કે, "હું તેમને મમ્મી-પપ્પા કે માતા-પિતા તરીકે ક્યારેય નહીં ઓળખાવું, કારણ કે તેઓ આ પવિત્ર બિરુદને લાયક જ નથી. ગુનાને છુપાવવા માટે તેમણે ભારે નરપિશાચતા દાખવી છે. મારી 37 વર્ષની લાંબી પોલીસ કારકિર્દીમાં મેં ક્યારેય આટલી ભયાનક અને હૃદયદ્રાવક ઘટના જોઈ નથી."

પોલીસના જણાવ્યા અનુસાર, બાળકીના પિતા એક માછીમાર છે, જેણે મે મહિનાના અંતમાં આ જ ખાડીમાં માછીમારી કરતી વખતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. હાલમાં સીડર ક્રીક જળાશયમાંથી બાળકીના શરીરના કેટલાક ભાગો મળી આવ્યા છે, જેની ઓળખ ડીએનએ (DNA) ટેસ્ટ દ્વારા કન્ફર્મ કરવામાં આવી છે. શેરિફે ભારે હૈયે ઉમેર્યું હતું કે કેમિકલના કારણે બાળકીનું શરીર એટલી હદે નષ્ટ થઈ ગયું છે કે તેનો સંપૂર્ણ દેહ પાછો મળવો અશક્ય છે. હાલમાં આ કેસને પોલીસ વિભાગની અત્યાર સુધીની સૌથી અઘરી અને માનસિક રીતે હચમચાવી દેનારી તપાસ માનવામાં આવી રહી છે.

Frequently Asked Questions

જાવેયા હેરિસ કોણ હતી અને તેની સાથે શું થયું?

જાવેયા હેરિસ 4 વર્ષની માસૂમ બાળકી હતી જેની તેના જ માતા-પિતાએ નિર્મમ હત્યા કરી હતી. તેમણે તેના મૃતદેહને તીવ્ર કેમિકલમાં ઓગાળીને ખાડીમાં વહાવી દીધો હતો.

જાવેયાના માતા-પિતાએ ગુનાને છુપાવવા માટે શું કર્યું?

માતા-પિતાએ બાળકી ગુમ થયાની ખોટી ફરિયાદ નોંધાવી. મૃતદેહ છુપાવવા તેમણે તેને તીવ્ર કેમિકલમાં ઓગાળી, પછી અવશેષોને સીડર ક્રીક જળાશયમાં ફેંકી દીધા હતા.

આ ભયાનક ગુનો કેવી રીતે બહાર આવ્યો અને પોલીસે શું શોધી કાઢ્યું?

માતા-પિતાની ખોટી ફરિયાદ બાદ પોલીસે તપાસ કરી. તેમાં બાળકીની હત્યા અને મૃતદેહને કેમિકલ દ્વારા નષ્ટ કરવાની હકીકત બહાર આવી. DNA ટેસ્ટ દ્વારા બાળકીના શરીરના કેટલાક ભાગોની ઓળખ થઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
Embed widget