શોધખોળ કરો
'IRCTC યાત્રી વીમા યોજના', જાણો તેની સાથે જોડાયેલ તમામ મહત્ત્વપૂર્ણ જાણકારી
1/5

દુર્ઘટના બાદ રકમ મેળવવા માટે નોમિનીને દુર્ઘટનાના 4 મહિનાની અંદર વીમાની રકમ માટે ક્લેમ કરી શકશે. ક્લેમ એનઈએફટી દ્વારા કરવામાં આવશે. ઉપરાંત ક્લેમ લેવા માટે નોમિનીને તમામ જરૂરી દસ્તાવેજ પણ જમા કરાવવા પડશે. હાલમાં માત્ર ત્રણ કંપનીઓ જ રેલવે યાત્રા વીમાની સુવિધા આપી રહી છે. તેમાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, રોયલ સુંદરમ જનરલ ઇન્શ્યોરન્સ અને શ્રીરામ જનરલ ઇન્શ્યોરન્સ સામેલ છે. જ્યારે વેબસાઈટ પર ઇન્શ્યોરન્સ લેતા સમયે નોમિનીની વિગત ભરવાની રહેશે.
2/5

પ્રવાસીનું મૃત્યુ થાય કે કાયમી વિકલાંગતા રહે તેવી સ્થિતિમાં વીમાની 100 ટકા રકમની ચૂકવણી દુર્ઘટના થયાની તારીખથી 12 મહિનાની અંદર કરવામાં આવશે. આ વીમાની રકમના 75 ટકા ગંભીર રીતે ઘાયલ થવા અને 20 ટકા ચૂકવણી હોસ્પિટલના ખર્ચ અથવા મેડિકલ ટ્રીટમેન્ટ માટે કરવામાં આવશે. જ્યારે ટ્રેન દુર્ઘટના પણ રેલવે એક્ટ (1989) અંતર્ગત ડિફાઈન કરવામાં આવી છે. એક્ટના સેક્શન 123, 124, 124Aમાં તેની વિસ્તારથી જાણકારી આપવામાં આવી છે.
Published at : 29 Dec 2016 08:42 AM (IST)
View More























