શોધખોળ કરો
ઘેર બેઠા આધાર સાથે મોબાઈલ નંબરને કરી શકાશે લિંક, જાણો કેવી રીતે
1/5

નવી દિલ્હીઃ મોબાઈલને આધાર સાથે લિંક કરવાને લઈને કેટલી મુશ્કેલી અને મુંઝવણ બન્ને છે. સરકારે તેને લિંક કરાવવાની છેલ્લી તારીખ જાહેર કરી દીધી છે. અત્યાર સુધી લિંક કરાવવા માટે મોબાઈલ ઓપરેટરોએ પોતાના બાયોમેટ્રિક આપવા જરૂરી હતા પરંતુ હવે UIDAI એ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે યૂઝર્સે 1 ડિસેમ્બરથી બાયોમેટ્રિક આપવાની જરૂરત નહીં રહે. તેના માટે જે યૂઝર્સે અત્યાર સુધી મોબાઈલને આધાર સાથે લિંક કરાવ્ય નથી તે 1 ડિસેમ્બર સુધી રાહ જુએ. UIDAIએ કહ્યું કે, યૂઝર્સની પાસે અધિકાર છે કે તે સિમ કાર્ડ રિટેલરને પોતાના ફિન્ગરપ્રિન્ટ આપ્યા વગર જ લિંક કરાવી શકશે.
2/5

ટેલિકોમ કંપનીઓના સૂચનો અનુસાર ગ્રાહકો વેરિફિકેશન માટે આધાર અને મોબાઇલની માહિતી ચોક્કસ નંબર પર મોકલશે. ટેલિકોમ કંપની UIDAI સાથે માહિતીની ચકાસણી કરશે અને રિ-વેરિફિકેશનની પ્રક્રિયા પૂરી કરશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, વન-ટાઇમ પાસવર્ડનો ઉપયોગ નહીં કરી શકનારા ગ્રાહકોના ઘરની મુલાકાત દીઠ ₹200ના ચાર્જનો પ્રસ્તાવ મૂક્યો છે.
Published at : 06 Nov 2017 11:45 AM (IST)
Tags :
UIDAIView More























