Crime News: વલસાડમાં નજીવી બાબતે પતિએ ગર્ભવતી પત્નીની લાકડાના ફટકા મારી હત્યા કરતા અરેરાટી
Crime News: વલસાડ જિલ્લામાં ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે. ઉમરગામના ભિલાડ ગામે પતિએ ગર્ભવતી પત્નીની હત્યા કરી છે. ગર્ભવતી પત્નીની પતિએ હત્યા કરતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે.

Crime News: વલસાડ જિલ્લામાં ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે. ઉમરગામના ભિલાડ ગામે પતિએ ગર્ભવતી પત્નીની હત્યા કરી છે. ગર્ભવતી પત્નીની પતિએ હત્યા કરતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. એક લગ્ન પ્રસંગમાં પરત ફરતી વેળાએ પત્ની પહેલા ઘરે આવી જતા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ત્યાર બાદ આવેશમાં આવીને પતિએ લાકડાના ફટકા મારી પત્નીનું મોત નીપજાવ્યું હતું. ભીલાડ પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી લીધી છે. નજીવા ગુસ્સામાં થયેલ આ હત્યાકાંડના કારણે પરિવાર નોંધારો બન્યો છે. મહિલાને ચાર માસનો ગર્ભ હોવાથી એક સાથે બે જીવના મોત થયા છે.
પ્રેમસંબંધની આશંકાએ સગા ભાઇએ બહેનની કરી હત્યા
ગીર સોમનાથ વેરાવળના મેઘપુર ગામમાં ભાઇ બહેન અને માતા પુત્રીના સંબંધને તાર-તાર કરી દેતી કરૂણ ઘટના બની છે. જાણીએ શું છે સમગ્ર ઘટના
ગીર સોમનાથના મેઘપુર ગામમાં ભાઇ-બહેનના સંબંધને તાર-તાર કરી દેતી ઘટના સામે આની છે. અહીં બહેનના પ્રેમસંબંધની આશંકાએ ખુદ ભાઇ એજ બહેનની હત્યા કરી દીધી.તો આ ઘટનામાં તેની સાવકી માતાએ પણ દીકરાની મદદ કરી હતી. પોલીસે હત્યાના ગણતરીના કલાકમાં જ આરોપી ભાઇ અને માતાની ધરપકડ કરીને પૂછપરછ હાથ ઘરી છે.
આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે, સગીરાને રાત્રે અસી પર કોઇ યુવક ચોરીછુપી મળવા આવ્યો હતો અને ત્યારબાદ આ ઘટનાથી નારાજ ભાઇ અને માતાએ સગીરાની નિર્દયતાથી હત્યા કરી દીધી. જો કે હત્યાના ગણતરીના કલાકમાંજ પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બુલેટ વેચવા બાબતે સુરતમાં 19 વર્ષના યુવકની છરીના ઘા ઝીંકી હત્યા
સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે આ નેતાની નિમણૂક
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અત્યારથી જ પક્ષ દ્વારા કામગીરી શરુ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભરતભાઇ રાઠોડની નિયુકિત કરવામાં આવી છે. આમ ફરી એક વખત ગુજરાતમાં ભાજપ સંગઠનમાં નવી નિયુકિતનો દૌર શરૂ થયો છે. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે ટ્વિટ કરીને કહ્યું કે, નવનિયુક્ત સુરત જીલ્લા પ્રમુખ શ્રી ભરતભાઇ રમણભાઇ રાઠોડને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનાં સંગઠનને વધુ ને વધુ મજબૂત બનાવવા આપશ્રી સદાય સેવારત રહેશો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
