શોધખોળ કરો

Crime News: ભાવનગરમાં સામાન્ય બોલાચાલીમાં પિતાએ પુત્રને ઉતાર્યો મોતને ઘાટ

Crime News: સિહોર તાલુકાના સણોસરા ગામે સાવકા પિતાએ જુવાન જોધ દીકરાની હત્યા કરી નાખી છે. સામાન્ય બાબતે બોલાચાલી થતા ઉગ્ર થયેલા સાવકા પિતાએ આવેશમાં આવી દિકરાની માથામાં બોથડ પદાર્થ વડે હત્યા કરી નાખી છે.

Crime News: ભાવનગરના સિહોર તાલુકાના સણોસરા ગામે સાવકા પિતાએ જુવાન જોધ દીકરાની હત્યા કરી નાખી છે. સામાન્ય બાબતે બોલાચાલી થતા ઉગ્ર થયેલા સાવકા પિતાએ આવેશમાં આવી કિશન હાવળિયા નામના દિકરાની માથામાં બોથડ પદાર્થ વડે જીવલેણ ઉમલો કરી હત્યા કરી નાખી છે. આ ઘટનાને લઈ જિલ્લાભરમાં ચકચાર મચી જવા પામી છે.

આ અંગે વિગતે વાત કરીએ તો, ભાવનગરના શિહોર તાલુકામાં આવેલ સણોસરા ગામે હત્યાનો બનાવ બન્યો છે. જેમાં મનસુખ હાવળિયા નામના સાવકા પિતાએ તેના પુત્રને માથાના ભાગે બોથડ પદાર્થ વડે ઉમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેનું બે દિવસ પહેલા સિહોર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા બાદ વધું સારવાર માટે ભાવનગર સીવીલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેનું આજે સારવાર દરમિયાન મોત થયું છે. મારીમારીની ઘટના હત્યામાં પરિણમતા સોનગઢ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરી છે.

નવસારીમાં ઓનર કિલીંગની આશંકા?

નવસારીના ઓનર કિલિંગની આશંકાના કેસમાં આજે મૃતક યુવતીનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.  પ્રેમી બ્રિજેશ પટેલની ફરિયાદ બાદ સુરત રેન્જ આઈજીએ પોલીસને તપાસના આદેશ કરતા મંગળવારના પોલીસે કલથાણના કબ્રસ્તાનમાંથી પંચોની હાજરીમાં યુવતીના મૃતદેહને બહાર કાઢ્યો હતો. જ્યાંથી મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાત્રીના સુરત લવાયો હતો. આજે નિષ્ણાંતોની હાજરીમાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે. હાલ જલાલપોર પોલીસમાં જાણવાજોગ નોંધ કરી પોલીસે તપાસ શરૂ કરી હતી. ફોરેન્સિક પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે. નવસારીમાં યુવતીના મોતના રહસ્ય પરથી આજે પડદો ઉઠશે.

નવસારીના જલાલપોર તાલુકાના અબ્રામા ગામે યુવતીની હત્યા કે આત્મહત્યાની આશંકાના મુદ્દે રેન્જ આઈજીને થયેલી ફરિયાદના પગલે નવસારી જિલ્લા પોલીસ દ્વારા કલથાણ ગામેથી યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો અને ફોરેન્સિક પીએમ માટે સુરત મોકલવામાં આવ્યો હતો.  મૂળ અબ્રામા ગામની યુવતી અને ખેરગામના યુવાન બ્રિજેશ પટેલ વચ્ચે પાંચ વર્ષથી પ્રેમ સંબંધ બંધાયો હતો પરંતુ આંતર જ્ઞાતિય લગ્ન બાબતે વિવાદો થતા યુવતીને પરિવારના સભ્યો પોતાના ઘરે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવતી ગુમ થયાની વાતો બહાર આવી હતી સમગ્ર ઘટનાક્રમને પગલે પ્રેમી યુવાન બ્રિજેશ પટેલ દ્વારા સુરત રેન્જના આઈ.જી પિયુષ પટેલને અરજી આપવામાં આવી હતી અને જેના પગલે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો જેમાં વિવિધ આશંકાઓને પગલે કોર્ટની મંજૂરી મેળવીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે અને પેનલ પીએમ કરવા માટે સુરત મોકલવામાં આવ્યો હતો.  

યુવતી દ્વારા આત્મહત્યા પહેલા લખવામાં આવેલી સુસાઇડ નોટની પણ પોલીસે ગંભીરતાથી તપાસ હાથ ધરી છે એમાં ખાસ કરીને યુવતીના પોતાના હાથે લખવામાં આવેલી છે કે કેમ તે બાબતે પણ તપાસ કરવામાં આવશે. પેનલ પીએમમાં યુવતીની હત્યા કરવામાં આવી છે કે કેમ તે અંગે તપાસ કરાશે. સાથે યુવતીના પરિવારના સભ્યો સામે આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે તેમની પણ પોલીસે પૂછપરછ હાથ ધરી છે. પરિવારજનો દ્વારા હત્યા કરવામાં આવી છે કે કેમ એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget