![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Crime News: પાટણમાં માનતા પુરી કરવા ગયેલા પરિવારની દીકરી પર વિધિ કરવાના બહાને ભુવાએ ગુજાર્યો બળાત્કાર
Crime News: આધુનિક યુગ છે છતા પણ આજે અંધશ્રદ્ધાના દુષણ સમજોમાં જોવા મળી રહ્યe છે અને તેના કારણે અનેક જિંદગીઓ ખપ્પરમાં હોમાઈ ગઈ છે. હવે આવો જ એક અંધશ્રદ્ધાનો કિસ્સો પાટણ જિલ્લામાં પ્રકાશમાં આવ્યો છે.
![Crime News: પાટણમાં માનતા પુરી કરવા ગયેલા પરિવારની દીકરી પર વિધિ કરવાના બહાને ભુવાએ ગુજાર્યો બળાત્કાર In Patan, a girl was physically abused on the pretext of a tantric ritual Crime News: પાટણમાં માનતા પુરી કરવા ગયેલા પરિવારની દીકરી પર વિધિ કરવાના બહાને ભુવાએ ગુજાર્યો બળાત્કાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/29/57f0176d0338920260005852744dbc0e1695985319900397_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Crime News: આધુનિક યુગ છે છતા પણ આજે અંધશ્રદ્ધાના દુષણ સમજોમાં જોવા મળી રહ્યe છે અને તેના કારણે અનેક જિંદગીઓ ખપ્પરમાં હોમાઈ ગઈ છે. હવે આવો જ એક અંધશ્રદ્ધાનો કિસ્સો પાટણ જિલ્લામાં પ્રકાશમાં આવ્યો છે જેમાં જિલ્લાના સરસ્વતી તાલુકાના ખોડાણા ગામે ભુવાજી પાસે માનતા પૂર્ણ કરવા ગયેલ પરિવારની યુવતીને વિધિ કરવાનાં બહાને ભુવાએ યુવતીને બહાર લઇ જઈ શારીરિક અડપલાં કરી દુષ્કર્મ આચરતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ અંગે વાગડોદ પોલીસ મથકે નરાધમ ભુવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ભુવાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ખેરાળુંનો પરિવાર અંધશ્રદ્ધાનો ભોગ બન્યો
આ અંગે વિગતે વાત કરીએ તો, પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ખોડાણા ગામે આવેલ પ્રભાતજી ઠાકોર નામના ભુવાજીના સ્થાનકે રાખેલ બાધા પૂર્ણ કરવા ગયેલ ખેરાળુંનો પરિવાર અંધશ્રદ્ધાનો ભોગ બનવા પામ્યો છે. જેમાં સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો મહેસાણા તાલુકાના ખેરાળું તાલુકાની યુવતી થોડા સમય અગાઉ તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી ત્યાર બાદ આ અંગે પરિવારે ખેરાળું પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ દીકરી ઘરે પરત આવે તે માટે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ખોડાણા ગામે આવેલ ભુવાજી પ્રભાતજી ઠાકોરના સ્થાનકની બાધા રાખી હતી.
પોલીસે ખોડાણા ગામે નરધામ ભુવાની શોધખોળ શરૂ કરી
જેથી યુવતી પરત આવતા પરિવાર યુવતીને લઇ ખોડાણા ગામે રાખેલ બાધા પૂર્ણ કરવા ગયો હતો. તે દરમ્યાન નરાધમ ભુવા પ્રભાતજી ઠાકોરની દાનત બગાડતાં હવસનો ભૂખ્યો ભુવો યુવતીને વિધિ કરવાનાં બહાને સ્થાનકની બહાર લઇ જઈ યુવતી સાથે શારીરિક અડપલા કરી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચાર્યું અને યુવતીને તેના પ્રેમી સાથે પરત મોકલવાની લાલચ આપી, અને આ બાબતની કોઈને જાણ ન કરવા માતાજીની સોગંધ આપી હતી. આ પ્રકારનું નિવેદન તેને ખેરાળું નામદાર કોર્ટમાં આપતા છેવટે આ ફરિયાદ ખેરાળું પોલીસ મથકથી ફરિયાદ ટ્રાન્સફર કરી સરસ્વતી તાલુકાના વાગડોદ પોલીસ મથકે કરવામાં આવતા દુષ્કર્મની ઘટના અંગે વાગડોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ખોડાણા ગામે નરધામ ભુવાની શોધ ખોળ શરૂ કરી છે. તેમજ જે જગ્યા પર ઘટના બની તે સ્થળ પર જઈ તપાસનો દોર ધમધમતો કર્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)