શોધખોળ કરો

Placements: આ વર્ષે IITના 38 ટકા વિદ્યાર્થીઓને નથી મળી નોકરી , RTIમાં થયો મોટો ખુલાસો

IIT Placements: ભારતની પ્રતિષ્ઠિત એન્જિનિયરીંગ સંસ્થાઓ IIT જે એક સમયે નોકરીની ગેરન્ટી ગણાતી હતી, આજે અભૂતપૂર્વ પ્લેસમેન્ટ કટોકટીનો સામનો કરી રહી છે.

IIT Placements: ભારતની પ્રતિષ્ઠિત એન્જિનિયરીંગ સંસ્થાઓ IIT જે એક સમયે નોકરીની ગેરન્ટી ગણાતી હતી, આજે અભૂતપૂર્વ પ્લેસમેન્ટ કટોકટીનો સામનો કરી રહી છે. IIT કાનપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થી ધીરજ સિંહ દ્વારા દાખલ કરાયેલી આરટીઆઇની અરજીના જવાબમાં ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. આ વર્ષે 23 IIT કેમ્પસમાંથી લગભગ 8,000 (38 ટકા) વિદ્યાર્થીઓને નોકરી મળી નથી.

2024માં પ્લેસમેન્ટ માટે નોંધણી કરાવનારા 21,500 વિદ્યાર્થીઓમાંથી માત્ર 13,410ને જ નોકરી મળી છે જ્યારે 38 ટકા વિદ્યાર્થીઓ હજુ બેરોજગાર છે. આ આંકડો બે વર્ષ પહેલા કરતા ઘણો વધારે છે, જ્યારે 3,400 (19 ટકા) વિદ્યાર્થીઓને નોકરી મળી ન હતી.

નવ જૂની આઈઆઈટીની સ્થિતિ વધુ ચિંતાજનક છે. આ વર્ષે પ્લેસમેન્ટ માટે નોંધણી કરાવનારા 16,400 વિદ્યાર્થીઓમાંથી 6,050 (37 ટકા) ને હજુ સુધી નોકરી મળી નથી. નવી 14 IIT માં પણ 5,100 નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી, 2,040 (40 ટકા) વિદ્યાર્થીઓ બેરોજગાર છે.

કન્સલ્ટન્ટ અને IIT કાનપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થી ધીરજ સિંહે LinkedIn પર આ ચિંતાજનક આંકડા શેર કર્યા છે. તેમણે લખ્યું હતું કે "ગયા વર્ષે IIT ખડગપુરમાં 33 ટકા વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મારફતે નોકરીઓ મળી ન હતી. પ્લેસમેન્ટની નબળી સ્થિતિને કારણે બેરોજગાર વિદ્યાર્થીઓ તણાવ, ચિંતા અને નિરાશાથી પીડાઈ રહ્યા છે."

IIT દિલ્હીના 22 ટકા વિદ્યાર્થીઓને છેલ્લા પાંચ વર્ષમાં નોકરી મળી નથી, અને 2024માં આ આંકડો વધીને 40 ટકા થઈ જશે. છેલ્લા બે વર્ષમાં 600 વિદ્યાર્થીઓને IIT દિલ્હીમાં નોકરી મળી નથી.

IIT દિલ્હીએ તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ઇમેઇલ કરીને નોકરી મેળવવામાં મદદ માંગી છે અને વર્તમાન બેચમાં પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓની ભલામણ કરી છે. IIT-Bombay અને બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી એન્ડ સાયન્સે પણ તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પાસેથી મદદ માંગી છે.

2022 થી 2024 સુધીમાં જૂની 9 IITમાં નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં 1.2 ગણો વધારો થયો છે, જ્યારે બેરોજગાર વિદ્યાર્થીઓની સંખ્યામાં 2.1 ગણો વધારો થયો છે. નવી 14 IITમાં નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં 1.3 ગણો વધારો થયો છે, પરંતુ બેરોજગાર વિદ્યાર્થીઓની સંખ્યામાં 3.8 ગણો વધારો થયો છે.

આ પ્લેસમેન્ટ કટોકટી વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર કરી રહી છે. આ વર્ષે કુલ છ IIT વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે, જે ઘણા લોકો દ્વારા સામનો કરવામાં આવેલ ગંભીર તણાવ અને ચિંતાને પ્રતિબિંબિત કરે છે.

સિંઘે કહ્યું હતું કે "બેરોજગાર વિદ્યાર્થીઓની સંખ્યામાં બમણો વધારો દેશની શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કોલેજોમાં ચિંતાજનક સ્થિતિ તરફ નિર્દેશ કરે છે. લગભગ 61 ટકા અનુસ્નાતકો હજુ પણ બેરોજગાર છે. આ એક અભૂતપૂર્વ રોજગાર સંકટ છે જે આપણી પ્રીમિયર કોલેજો અને આપણા યુવા સ્નાતકો સામનો કરી રહ્યા છે."જેમ જેમ IIT આ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે પ્લેસમેન્ટની સ્થિતિ એ એક મહત્વપૂર્ણ મુદ્દો છે જેના પર તાત્કાલિક ધ્યાન આપવાની અને ઉકેલો શોધવાની જરૂર છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Oldest School in India: શું તમે જાણો છો ભારતની સૌથી જૂની સ્કૂલ કઈ છે? 300 વર્ષ પછી પણ અહીં થાય છે અભ્યાસ
Oldest School in India: શું તમે જાણો છો ભારતની સૌથી જૂની સ્કૂલ કઈ છે? 300 વર્ષ પછી પણ અહીં થાય છે અભ્યાસ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
IIT Online Courses: ઘરે બેઠા IIT માંથી કરી શકો છો આ સિક્રેટ કોર્સ, બની જશે લાઈફ
IIT Online Courses: ઘરે બેઠા IIT માંથી કરી શકો છો આ સિક્રેટ કોર્સ, બની જશે લાઈફ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget