શોધખોળ કરો

Placements: આ વર્ષે IITના 38 ટકા વિદ્યાર્થીઓને નથી મળી નોકરી , RTIમાં થયો મોટો ખુલાસો

IIT Placements: ભારતની પ્રતિષ્ઠિત એન્જિનિયરીંગ સંસ્થાઓ IIT જે એક સમયે નોકરીની ગેરન્ટી ગણાતી હતી, આજે અભૂતપૂર્વ પ્લેસમેન્ટ કટોકટીનો સામનો કરી રહી છે.

IIT Placements: ભારતની પ્રતિષ્ઠિત એન્જિનિયરીંગ સંસ્થાઓ IIT જે એક સમયે નોકરીની ગેરન્ટી ગણાતી હતી, આજે અભૂતપૂર્વ પ્લેસમેન્ટ કટોકટીનો સામનો કરી રહી છે. IIT કાનપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થી ધીરજ સિંહ દ્વારા દાખલ કરાયેલી આરટીઆઇની અરજીના જવાબમાં ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. આ વર્ષે 23 IIT કેમ્પસમાંથી લગભગ 8,000 (38 ટકા) વિદ્યાર્થીઓને નોકરી મળી નથી.

2024માં પ્લેસમેન્ટ માટે નોંધણી કરાવનારા 21,500 વિદ્યાર્થીઓમાંથી માત્ર 13,410ને જ નોકરી મળી છે જ્યારે 38 ટકા વિદ્યાર્થીઓ હજુ બેરોજગાર છે. આ આંકડો બે વર્ષ પહેલા કરતા ઘણો વધારે છે, જ્યારે 3,400 (19 ટકા) વિદ્યાર્થીઓને નોકરી મળી ન હતી.

નવ જૂની આઈઆઈટીની સ્થિતિ વધુ ચિંતાજનક છે. આ વર્ષે પ્લેસમેન્ટ માટે નોંધણી કરાવનારા 16,400 વિદ્યાર્થીઓમાંથી 6,050 (37 ટકા) ને હજુ સુધી નોકરી મળી નથી. નવી 14 IIT માં પણ 5,100 નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી, 2,040 (40 ટકા) વિદ્યાર્થીઓ બેરોજગાર છે.

કન્સલ્ટન્ટ અને IIT કાનપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થી ધીરજ સિંહે LinkedIn પર આ ચિંતાજનક આંકડા શેર કર્યા છે. તેમણે લખ્યું હતું કે "ગયા વર્ષે IIT ખડગપુરમાં 33 ટકા વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મારફતે નોકરીઓ મળી ન હતી. પ્લેસમેન્ટની નબળી સ્થિતિને કારણે બેરોજગાર વિદ્યાર્થીઓ તણાવ, ચિંતા અને નિરાશાથી પીડાઈ રહ્યા છે."

IIT દિલ્હીના 22 ટકા વિદ્યાર્થીઓને છેલ્લા પાંચ વર્ષમાં નોકરી મળી નથી, અને 2024માં આ આંકડો વધીને 40 ટકા થઈ જશે. છેલ્લા બે વર્ષમાં 600 વિદ્યાર્થીઓને IIT દિલ્હીમાં નોકરી મળી નથી.

IIT દિલ્હીએ તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ઇમેઇલ કરીને નોકરી મેળવવામાં મદદ માંગી છે અને વર્તમાન બેચમાં પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓની ભલામણ કરી છે. IIT-Bombay અને બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી એન્ડ સાયન્સે પણ તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પાસેથી મદદ માંગી છે.

2022 થી 2024 સુધીમાં જૂની 9 IITમાં નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં 1.2 ગણો વધારો થયો છે, જ્યારે બેરોજગાર વિદ્યાર્થીઓની સંખ્યામાં 2.1 ગણો વધારો થયો છે. નવી 14 IITમાં નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં 1.3 ગણો વધારો થયો છે, પરંતુ બેરોજગાર વિદ્યાર્થીઓની સંખ્યામાં 3.8 ગણો વધારો થયો છે.

આ પ્લેસમેન્ટ કટોકટી વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર કરી રહી છે. આ વર્ષે કુલ છ IIT વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે, જે ઘણા લોકો દ્વારા સામનો કરવામાં આવેલ ગંભીર તણાવ અને ચિંતાને પ્રતિબિંબિત કરે છે.

સિંઘે કહ્યું હતું કે "બેરોજગાર વિદ્યાર્થીઓની સંખ્યામાં બમણો વધારો દેશની શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કોલેજોમાં ચિંતાજનક સ્થિતિ તરફ નિર્દેશ કરે છે. લગભગ 61 ટકા અનુસ્નાતકો હજુ પણ બેરોજગાર છે. આ એક અભૂતપૂર્વ રોજગાર સંકટ છે જે આપણી પ્રીમિયર કોલેજો અને આપણા યુવા સ્નાતકો સામનો કરી રહ્યા છે."જેમ જેમ IIT આ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે પ્લેસમેન્ટની સ્થિતિ એ એક મહત્વપૂર્ણ મુદ્દો છે જેના પર તાત્કાલિક ધ્યાન આપવાની અને ઉકેલો શોધવાની જરૂર છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SSC Age Limit: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારોને મોટી રાહત, વય મર્યાદામાં થઈ શકે છે 5 વર્ષનો વધારો
SSC Age Limit: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારોને મોટી રાહત, વય મર્યાદામાં થઈ શકે છે 5 વર્ષનો વધારો
JOB: 10 પાસ યુવાનો માટે નોકરીની સુવર્ણ તક: રેલ્વેમાં 2800થી વધુ જગ્યાઓ માટે ભરતી
JOB: 10 પાસ યુવાનો માટે નોકરીની સુવર્ણ તક: રેલ્વેમાં 2800થી વધુ જગ્યાઓ માટે ભરતી
SECL માં બહાર પડી ભરતી, યુવા ઉમેદવારો આ રીતે કરી શકે છે એપ્લાય, આ છે લાસ્ટ ડેટ
SECL માં બહાર પડી ભરતી, યુવા ઉમેદવારો આ રીતે કરી શકે છે એપ્લાય, આ છે લાસ્ટ ડેટ
રેલવેમાં 11 હજારથી વધુ આસિસ્ટન્ટ લોકો પાયલટ ભરતી માટે નોટિફિકેશન જાહેર, જાણો ક્યારે કરી શકશો અરજી 
રેલવેમાં 11 હજારથી વધુ આસિસ્ટન્ટ લોકો પાયલટ ભરતી માટે નોટિફિકેશન જાહેર, જાણો ક્યારે કરી શકશો અરજી 

વિડિઓઝ

Umreth by-Election: ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીને લઈ મોટા સમાચાર, ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Toll Tax Increase : 1 એપ્રિલથી નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી
Hun To Bolish : હું તો બોલીશ : ફસાયા ટ્રમ્પ
Hun To Bolish : હું તો બોલીશ : વિકાસની દોડ
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે કેમ ખાધો માર?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર કર્યા જાહેર, ગોવિંદ પરમારના પુત્રને આપી ટિકિટ
ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર કર્યા જાહેર, ગોવિંદ પરમારના પુત્રને આપી ટિકિટ
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે MLC પદ પરથી આપ્યું રાજીનામું; નવા મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ યથાવત
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે MLC પદ પરથી આપ્યું રાજીનામું; નવા મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ યથાવત
West Asia Conflict: કુવૈતના પાવર પ્લાન્ટ પર ઈરાનનો હુમલો, એક ભારતીયનું મોત
West Asia Conflict: કુવૈતના પાવર પ્લાન્ટ પર ઈરાનનો હુમલો, એક ભારતીયનું મોત
Gujarat Rain Forecast : રાજ્યનું ફરી બદલાશે વાતાવરણ, આ જિલ્લાઓમાં માવઠાની આગાહી
Gujarat Rain Forecast : રાજ્યનું ફરી બદલાશે વાતાવરણ, આ જિલ્લાઓમાં માવઠાની આગાહી
LPG Gas Cylinder: LPG સંકટ વચ્ચે કેરોસિનની વાપસી, પેટ્રોલ પંપો પર થશે વેચાણ, સરકારે નિયમોમાં આપી છૂટ
LPG Gas Cylinder: LPG સંકટ વચ્ચે કેરોસિનની વાપસી, પેટ્રોલ પંપો પર થશે વેચાણ, સરકારે નિયમોમાં આપી છૂટ
Delhi: લશ્કરના આતંકવાદી શબ્બીર અહેમદની ધરપકડ; દિલ્હી પોલીસને મળી મોટી સફળતા
Delhi: લશ્કરના આતંકવાદી શબ્બીર અહેમદની ધરપકડ; દિલ્હી પોલીસને મળી મોટી સફળતા
Gold-Silver Rate Today: સોનાના ભાવમાં ફરી ઘટાડો, જાણો ચાંદીના ભાવમાં કેટલો થયો ફેરફાર
Gold-Silver Rate Today: સોનાના ભાવમાં ફરી ઘટાડો, જાણો ચાંદીના ભાવમાં કેટલો થયો ફેરફાર
Toll Tax: 1 એપ્રિલથી નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી, વાહન ચાલકો પર પડશે કરોડોનો બોજો
Toll Tax: 1 એપ્રિલથી નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી, વાહન ચાલકો પર પડશે કરોડોનો બોજો
Embed widget