શોધખોળ કરો

Placements: આ વર્ષે IITના 38 ટકા વિદ્યાર્થીઓને નથી મળી નોકરી , RTIમાં થયો મોટો ખુલાસો

IIT Placements: ભારતની પ્રતિષ્ઠિત એન્જિનિયરીંગ સંસ્થાઓ IIT જે એક સમયે નોકરીની ગેરન્ટી ગણાતી હતી, આજે અભૂતપૂર્વ પ્લેસમેન્ટ કટોકટીનો સામનો કરી રહી છે.

IIT Placements: ભારતની પ્રતિષ્ઠિત એન્જિનિયરીંગ સંસ્થાઓ IIT જે એક સમયે નોકરીની ગેરન્ટી ગણાતી હતી, આજે અભૂતપૂર્વ પ્લેસમેન્ટ કટોકટીનો સામનો કરી રહી છે. IIT કાનપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થી ધીરજ સિંહ દ્વારા દાખલ કરાયેલી આરટીઆઇની અરજીના જવાબમાં ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. આ વર્ષે 23 IIT કેમ્પસમાંથી લગભગ 8,000 (38 ટકા) વિદ્યાર્થીઓને નોકરી મળી નથી.

2024માં પ્લેસમેન્ટ માટે નોંધણી કરાવનારા 21,500 વિદ્યાર્થીઓમાંથી માત્ર 13,410ને જ નોકરી મળી છે જ્યારે 38 ટકા વિદ્યાર્થીઓ હજુ બેરોજગાર છે. આ આંકડો બે વર્ષ પહેલા કરતા ઘણો વધારે છે, જ્યારે 3,400 (19 ટકા) વિદ્યાર્થીઓને નોકરી મળી ન હતી.

નવ જૂની આઈઆઈટીની સ્થિતિ વધુ ચિંતાજનક છે. આ વર્ષે પ્લેસમેન્ટ માટે નોંધણી કરાવનારા 16,400 વિદ્યાર્થીઓમાંથી 6,050 (37 ટકા) ને હજુ સુધી નોકરી મળી નથી. નવી 14 IIT માં પણ 5,100 નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી, 2,040 (40 ટકા) વિદ્યાર્થીઓ બેરોજગાર છે.

કન્સલ્ટન્ટ અને IIT કાનપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થી ધીરજ સિંહે LinkedIn પર આ ચિંતાજનક આંકડા શેર કર્યા છે. તેમણે લખ્યું હતું કે "ગયા વર્ષે IIT ખડગપુરમાં 33 ટકા વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મારફતે નોકરીઓ મળી ન હતી. પ્લેસમેન્ટની નબળી સ્થિતિને કારણે બેરોજગાર વિદ્યાર્થીઓ તણાવ, ચિંતા અને નિરાશાથી પીડાઈ રહ્યા છે."

IIT દિલ્હીના 22 ટકા વિદ્યાર્થીઓને છેલ્લા પાંચ વર્ષમાં નોકરી મળી નથી, અને 2024માં આ આંકડો વધીને 40 ટકા થઈ જશે. છેલ્લા બે વર્ષમાં 600 વિદ્યાર્થીઓને IIT દિલ્હીમાં નોકરી મળી નથી.

IIT દિલ્હીએ તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ઇમેઇલ કરીને નોકરી મેળવવામાં મદદ માંગી છે અને વર્તમાન બેચમાં પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓની ભલામણ કરી છે. IIT-Bombay અને બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી એન્ડ સાયન્સે પણ તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પાસેથી મદદ માંગી છે.

2022 થી 2024 સુધીમાં જૂની 9 IITમાં નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં 1.2 ગણો વધારો થયો છે, જ્યારે બેરોજગાર વિદ્યાર્થીઓની સંખ્યામાં 2.1 ગણો વધારો થયો છે. નવી 14 IITમાં નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં 1.3 ગણો વધારો થયો છે, પરંતુ બેરોજગાર વિદ્યાર્થીઓની સંખ્યામાં 3.8 ગણો વધારો થયો છે.

આ પ્લેસમેન્ટ કટોકટી વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર કરી રહી છે. આ વર્ષે કુલ છ IIT વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે, જે ઘણા લોકો દ્વારા સામનો કરવામાં આવેલ ગંભીર તણાવ અને ચિંતાને પ્રતિબિંબિત કરે છે.

સિંઘે કહ્યું હતું કે "બેરોજગાર વિદ્યાર્થીઓની સંખ્યામાં બમણો વધારો દેશની શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કોલેજોમાં ચિંતાજનક સ્થિતિ તરફ નિર્દેશ કરે છે. લગભગ 61 ટકા અનુસ્નાતકો હજુ પણ બેરોજગાર છે. આ એક અભૂતપૂર્વ રોજગાર સંકટ છે જે આપણી પ્રીમિયર કોલેજો અને આપણા યુવા સ્નાતકો સામનો કરી રહ્યા છે."જેમ જેમ IIT આ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે પ્લેસમેન્ટની સ્થિતિ એ એક મહત્વપૂર્ણ મુદ્દો છે જેના પર તાત્કાલિક ધ્યાન આપવાની અને ઉકેલો શોધવાની જરૂર છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
Maruti Dzire એ તોડ્યા વેચાણના તમામ રેકોર્ડ, બની દેશની સૌથી વધુ વેચાતી કાર, જુઓ સેલ્સ રિપોર્ટ
Maruti Dzire એ તોડ્યા વેચાણના તમામ રેકોર્ડ, બની દેશની સૌથી વધુ વેચાતી કાર, જુઓ સેલ્સ રિપોર્ટ
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
Soup Recipe: સ્વાસ્થ્ય માટે વરદાન છે કાળા ચણાનું સૂપ; જાણો તેને તૈયાર કરવાની સિમ્પલ રેસીપી
Soup Recipe: સ્વાસ્થ્ય માટે વરદાન છે કાળા ચણાનું સૂપ; જાણો તેને તૈયાર કરવાની સિમ્પલ રેસીપી
Embed widget