![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
NCERT Panel: હવે બાળકો ભણશે મહાભારત- રામાયણના પાઠ, NCERT પેનલે કરી ભલામણ
NCERT Panel:ધોરણ 7 થી 12 ના વિદ્યાર્થીઓને રામાયણ અને મહાભારત શીખવવું મહત્વપૂર્ણ છે
![NCERT Panel: હવે બાળકો ભણશે મહાભારત- રામાયણના પાઠ, NCERT પેનલે કરી ભલામણ NCERT Panel: NCERT panel recommends inclusion of Ramayana, Mahabharata in school textbooks NCERT Panel: હવે બાળકો ભણશે મહાભારત- રામાયણના પાઠ, NCERT પેનલે કરી ભલામણ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/22/ebfeec190615d5c1049743b93f868532170062107135574_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
NCERT Panel: નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ સામાજિક વિજ્ઞાનના શાળા અભ્યાસક્રમમાં સંશોધિત કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી. સમિતિએ પાઠ્ય પુસ્તકોમાં રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યોનો સમાવેશ કરવાની અને શાળાઓમાં વર્ગખંડોની દિવાલો પર બંધારણની પ્રસ્તાવના લખવાની ભલામણ કરી છે. સમિતિના અધ્યક્ષ સીઆઈ ઈસ્સાકે મંગળવારે (21 નવેમ્બર) આ માહિતી આપી હતી.
ઈસ્સાકે ભારપૂર્વક જણાવ્યું હતું કે ધોરણ 7 થી 12 ના વિદ્યાર્થીઓને રામાયણ અને મહાભારત શીખવવું મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું, "સમિતિએ સામાજિક વિજ્ઞાનના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો શીખવવા પર ભાર મૂક્યો છે. અમારું માનવું છે કે કિશોરાવસ્થા દરમિયાન વિદ્યાર્થીમાં આત્મસન્માન, દેશભક્તિ અને પોતાના રાષ્ટ્ર માટે ગૌરવનો વિકાસ થાય છે."
'વિદ્યાર્થીઓમાં દેશભક્તિનો અભાવ'
ઈસ્સાકે કહ્યું કે દેશભક્તિના અભાવને કારણે દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ દેશ છોડીને અન્ય દેશોની નાગરિકતા લે છે. તેથી તેમના માટે તેમના મૂળને સમજવું અને તેમના દેશ અને તેમની સંસ્કૃતિ માટે પ્રેમ કેળવવો મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે હાલમાં કેટલાક શિક્ષણ બોર્ડ વિદ્યાર્થીઓને રામાયણ શીખવે છે, પરંતુ તેઓ તેને એક દંતકથા તરીકે શીખવે છે. જો આ મહાકાવ્યો વિદ્યાર્થીઓને શીખવવામાં ન આવે તો શિક્ષણ પ્રણાલીનો ઉદેશ્ય નથી અને રાષ્ટ્રની સેવા થશે નહીં.
અગાઉ તેમણે કહ્યું હતું કે પેનલે ધોરણ 3 થી 12 સુધીના પાઠ્યપુસ્તકોમાં પ્રાચીન ઈતિહાસને બદલે 'શાસ્ત્રીય ઇતિહાસ'નો સમાવેશ કરવાની અને 'ઇન્ડિયા'નું નામ બદલીને 'ભારત' કરવાની ભલામણ પણ કરી હતી.
NSTC પુસ્તકોને અંતિમ સ્વરૂપ આપવા અંગે વિચારણા કરશે
ગયા વર્ષે રચાયેલી સાત સભ્યોની સમિતિએ સામાજિક વિજ્ઞાન અભ્યાસક્રમ માટે ઘણી ભલામણો કરી છે. આ ભલામણો નવા NCERT પુસ્તકો માટે મહત્વપૂર્ણ સૂચનાત્મક દસ્તાવેજો છે. વર્ગો માટેના અભ્યાસક્રમ, પુસ્તકો અને શીખવાની સામગ્રીને અંતિમ સ્વરૂપ આપવા માટે જૂલાઈમાં 19-સભ્યોની નેશનલ સિલેબસ એન્ડ ટીચિંગ લર્નિંગ મટિરિયલ કમિટી (NSTC) દ્વારા સમિતિની ભલામણો પર વિચારણા કરવામાં આવે તેવી શક્યતા છે.
આ મામલે NCERT એટલે કે રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદની પેનલે આ બંને કથાઓને શાળાના પુસ્તકોમાં સામેલ કરવા ભલામણ કરી છે. શાળાના વિદ્યાર્થીઓને મહાભારત-રામાયણ ભણાવવા NCERTએ સોશિયલ સાયન્સના શાળા અભ્યાસક્રમમાં સુધારો કરવા એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી. આ ઉપરાંત પેનલે સ્કૂલની દિવાલો પર બંધારણની પ્રસ્તાવના લખવાની પણ ભલામણ કરી છે. આ સમિતિના અધ્યક્ષ સી.આઈ. ઈસ્સાકે ભારપૂર્વક કહ્યું કે ધો.7થી 12ના વિદ્યાર્થીઓને રામાયણ અને મહાભારત ભણાવવા જરૂરી છે. સમિતિએ સામાજિક વિજ્ઞાન અભ્યાસક્રમમાં રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્ય ભણાવવા પર ભાર મૂક્યો છે.
Education Loan Information:
Calculate Education Loan EMI
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)