શોધખોળ કરો

NCERT Panel: હવે બાળકો ભણશે મહાભારત- રામાયણના પાઠ, NCERT પેનલે કરી ભલામણ

NCERT Panel:ધોરણ 7 થી 12 ના વિદ્યાર્થીઓને રામાયણ અને મહાભારત શીખવવું મહત્વપૂર્ણ છે

NCERT Panel: નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ સામાજિક વિજ્ઞાનના શાળા અભ્યાસક્રમમાં સંશોધિત કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી. સમિતિએ પાઠ્ય પુસ્તકોમાં રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યોનો સમાવેશ કરવાની અને શાળાઓમાં વર્ગખંડોની દિવાલો પર બંધારણની પ્રસ્તાવના લખવાની ભલામણ કરી છે. સમિતિના અધ્યક્ષ સીઆઈ ઈસ્સાકે મંગળવારે (21 નવેમ્બર) આ માહિતી આપી હતી.

ઈસ્સાકે ભારપૂર્વક જણાવ્યું હતું કે ધોરણ 7 થી 12 ના વિદ્યાર્થીઓને રામાયણ અને મહાભારત શીખવવું મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું, "સમિતિએ સામાજિક વિજ્ઞાનના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો શીખવવા પર ભાર મૂક્યો છે. અમારું માનવું છે કે કિશોરાવસ્થા દરમિયાન વિદ્યાર્થીમાં આત્મસન્માન, દેશભક્તિ અને પોતાના રાષ્ટ્ર માટે ગૌરવનો વિકાસ થાય છે."

'વિદ્યાર્થીઓમાં દેશભક્તિનો અભાવ'

ઈસ્સાકે કહ્યું કે દેશભક્તિના અભાવને કારણે દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ દેશ છોડીને અન્ય દેશોની નાગરિકતા લે છે. તેથી તેમના માટે તેમના મૂળને સમજવું અને તેમના દેશ અને તેમની સંસ્કૃતિ માટે પ્રેમ કેળવવો મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે હાલમાં કેટલાક શિક્ષણ બોર્ડ વિદ્યાર્થીઓને રામાયણ શીખવે છે, પરંતુ તેઓ તેને એક દંતકથા તરીકે શીખવે છે. જો આ મહાકાવ્યો વિદ્યાર્થીઓને શીખવવામાં ન આવે તો શિક્ષણ પ્રણાલીનો ઉદેશ્ય નથી અને રાષ્ટ્રની સેવા થશે નહીં.

અગાઉ તેમણે કહ્યું હતું કે પેનલે ધોરણ 3 થી 12 સુધીના પાઠ્યપુસ્તકોમાં પ્રાચીન ઈતિહાસને બદલે 'શાસ્ત્રીય ઇતિહાસ'નો સમાવેશ કરવાની અને 'ઇન્ડિયા'નું નામ બદલીને 'ભારત' કરવાની ભલામણ પણ કરી હતી.

NSTC પુસ્તકોને અંતિમ સ્વરૂપ આપવા અંગે વિચારણા કરશે

ગયા વર્ષે રચાયેલી સાત સભ્યોની સમિતિએ સામાજિક વિજ્ઞાન અભ્યાસક્રમ માટે ઘણી ભલામણો કરી છે. આ ભલામણો નવા NCERT પુસ્તકો માટે મહત્વપૂર્ણ સૂચનાત્મક દસ્તાવેજો છે. વર્ગો માટેના અભ્યાસક્રમ, પુસ્તકો અને શીખવાની સામગ્રીને અંતિમ સ્વરૂપ આપવા માટે જૂલાઈમાં 19-સભ્યોની નેશનલ સિલેબસ એન્ડ ટીચિંગ લર્નિંગ મટિરિયલ કમિટી (NSTC) દ્વારા સમિતિની ભલામણો પર વિચારણા કરવામાં આવે તેવી શક્યતા છે.

આ મામલે NCERT એટલે કે રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદની પેનલે આ બંને કથાઓને શાળાના પુસ્તકોમાં સામેલ કરવા ભલામણ કરી છે. શાળાના વિદ્યાર્થીઓને મહાભારત-રામાયણ ભણાવવા NCERTએ સોશિયલ સાયન્સના શાળા અભ્યાસક્રમમાં સુધારો કરવા એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી. આ ઉપરાંત પેનલે સ્કૂલની દિવાલો પર બંધારણની પ્રસ્તાવના લખવાની પણ ભલામણ કરી છે. આ સમિતિના અધ્યક્ષ સી.આઈ. ઈસ્સાકે ભારપૂર્વક કહ્યું કે ધો.7થી 12ના વિદ્યાર્થીઓને રામાયણ અને મહાભારત ભણાવવા જરૂરી છે. સમિતિએ સામાજિક વિજ્ઞાન અભ્યાસક્રમમાં રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્ય ભણાવવા પર ભાર મૂક્યો છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

JEE Advanced 2026: 23 એપ્રિલથી કરી શકાશે અરજીઓ , 17 મેના રોજ યોજાશે પરીક્ષા
JEE Advanced 2026: 23 એપ્રિલથી કરી શકાશે અરજીઓ , 17 મેના રોજ યોજાશે પરીક્ષા
બેંકમાં નોકરીની તક! સેન્ટ્રલ બેંકમાં સ્પેશલિસ્ટ ઓફિસરના પદ પર ભરતી, આ તારીખ સુધી કરો અરજી
બેંકમાં નોકરીની તક! સેન્ટ્રલ બેંકમાં સ્પેશલિસ્ટ ઓફિસરના પદ પર ભરતી, આ તારીખ સુધી કરો અરજી
UPSC Result 2025: કરિયાણાની દુકાનના માલિકની દીકરી આસ્થા જૈન બની IAS, એક વર્ષમાં આટલું સુધારી લીધું UPSC રેન્કિંગ
UPSC Result 2025: કરિયાણાની દુકાનના માલિકની દીકરી આસ્થા જૈન બની IAS, એક વર્ષમાં આટલું સુધારી લીધું UPSC રેન્કિંગ
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોને મળશે કેટલો ગેસ?
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gujarat Politics : દિલ્લીમાં પ્રધાનમંત્રી આવાસ પર PM સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : માર્ચમાં તાપનું ટોર્ચર
Hun To Bolish : હું તો બોલીશ : મેચની ટિકિટ ના મળતા ધારાસભ્યો દુઃખી!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી સરકારનો મોટો નિર્ણય: ચીન હવે ભારતમાં કરી શકશે મોટું રોકાણ, નિયમો થયા હળવા
મોદી સરકારનો મોટો નિર્ણય: ચીન હવે ભારતમાં કરી શકશે મોટું રોકાણ, નિયમો થયા હળવા
ઈરાન યુદ્ધમાં અમેરિકાના અબજો સ્વાહા, યુદ્ધથી રશિયાને લાગી લોટરી, જાણો પુતિને કેવી રીતે મારી બાજી!
ઈરાન યુદ્ધમાં અમેરિકાના અબજો સ્વાહા, યુદ્ધથી રશિયાને લાગી લોટરી, જાણો પુતિને કેવી રીતે મારી બાજી!
સરકારી નોકરીની મોટી તક! પંચાયત વિભાગમાં 6000 ખાલી જગ્યાઓ ભરાશે, જાણો સંપૂર્ણ વિગત
સરકારી નોકરીની મોટી તક! પંચાયત વિભાગમાં 6000 ખાલી જગ્યાઓ ભરાશે, જાણો સંપૂર્ણ વિગત
2029 સુધીમાં ગુજરાત બનશે ફાટક મુક્ત: વાહનવ્યવહારની ભીડમાંથી મળશે છુટકારો, જાણો યોજના
2029 સુધીમાં ગુજરાત બનશે ફાટક મુક્ત: વાહનવ્યવહારની ભીડમાંથી મળશે છુટકારો, જાણો યોજના
ગુજરાત સ્થાનિક ચૂંટણીને લઈ કોંગ્રેસની મોટી જાહેરાત, આ લોકોને મળશે સૌથી વધુ ટિકિટ
ગુજરાત સ્થાનિક ચૂંટણીને લઈ કોંગ્રેસની મોટી જાહેરાત, આ લોકોને મળશે સૌથી વધુ ટિકિટ
ગોધરા, સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં બોમ્બની ધમકથી અફરાતફરી, પોલીસ દોડતી થઈ
ગોધરા, સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં બોમ્બની ધમકથી અફરાતફરી, પોલીસ દોડતી થઈ
વર્લ્ડ કપ જીત્યા બાદ અર્શદીપ સિંહને ફટકારાયો દંડ! ફાઈનલમાં કઈ ભૂલ પડી ભારે?
વર્લ્ડ કપ જીત્યા બાદ અર્શદીપ સિંહને ફટકારાયો દંડ! ફાઈનલમાં કઈ ભૂલ પડી ભારે?
Share Market Rebound: મોટા કડાકા બાદ શેર બજારમાં ફરી રોનક, જાણો બજારમાં તેજીના કારણો  
Share Market Rebound: મોટા કડાકા બાદ શેર બજારમાં ફરી રોનક, જાણો બજારમાં તેજીના કારણો  
Embed widget