શોધખોળ કરો

LokSabha Election: ગેનીબેન ઠાકોરના ભાજપ પર સીધા પ્રહાર, રૂપાલા મુદ્દે ક્ષત્રિયો ઉગ્ર, ભાજપને ઠેર ઠેર આપી રહ્યાં છે જાકારો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઇને માહોલ ગરમ છે, રાજ્યમાં રૂપાલા મુદ્દે હજુપણ ક્ષત્રિય સમાજ ભાજપની વિરૂદ્ધમાં છે, અને ઠેર ઠેર સભાઓ દરમિયાન હોબાળો કરી રહ્યાં છે

LIVE

Key Events
LokSabha Election: ગેનીબેન ઠાકોરના ભાજપ પર સીધા પ્રહાર, રૂપાલા મુદ્દે ક્ષત્રિયો ઉગ્ર, ભાજપને ઠેર ઠેર આપી રહ્યાં છે જાકારો

Background

Lok Sabha Election 2024 Live Updates: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઇને માહોલ ગરમ છે, રાજ્યમાં રૂપાલા મુદ્દે હજુપણ ક્ષત્રિય સમાજ ભાજપની વિરૂદ્ધમાં છે, અને ઠેર ઠેર સભાઓ દરમિયાન હોબાળો કરી રહ્યાં છે. હાલમાં બનાસકાંઠામાં ફરી એકવાર ગેનીબેનના સભામાં ક્ષત્રિય સમાજે ખુલ્લુ કોંગ્રેસને આપ્યુ છે, અને ભાજપની સભાઓ નહીં કરવા દેવાની ચિમકી પણ ઉચ્ચારી છે. રાજ્યમાં તમામ 26 બેઠકો પર આગામી 7મી મેએ એક જ તબક્કામાં મતદાન યોજાવવાનું છે, આ પહેલા તમામ રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ ઠેર ઠેર સભાઓ ગજવવાનું શરૂ કર્યુ છે. ગુજરાતમાં ભાજપની સામે ક્ષત્રિય સમાજ ઉગ્રતાથી વિરોધ કરી રહ્યો છે, સાથે સાથે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાનો સંકલ્પ પણ લેવડાવાઇ રહ્યો છે. 

15:42 PM (IST)  •  30 Apr 2024

રાજકોટનાં પાયા નાં કાર્યકર્તા નાલાયક લાગ્યા એટલે આયાતી ઉમેદવાર ઉતાર્યા - પરેશ ધાનાણી

રાજ્યમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત 7 મેના રોજ મતદાન થશે. જેને લઈ હાલ જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમિયાન રાજકોટ લોકસભા સીટથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું  ભાજપનાં કેન્દ્રીય નેતૃત્વને રાજકોટનાં પાયાનાં કાર્યકર્તા નાલાયક લાગ્યા એટલે અમરેલીથી આયાતી ઉમેદવાર ઉતાર્યા.  રાજકોટ લોકસભા બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર ધાનાણીએ એબીપી અસ્મિતા સાથેની exclusive વાતમાં રાજકોટ બેઠક પર વર્ગ વિગ્રહ કરવો પ્રયાસ થતો હોવાનો બીજેપી પર આરોપ પણ લગાવ્યો. એટલું જ નહીં રાજકોટ બેઠક પર લેઉવા અને કડવા પાટીદારોને સામ સામે લેવાનો પ્રયાસ બીજેપી કરતી હોવાની આશંકા પણ ધાનાણી એ વ્યકત કરી. રાજકોટ લોકસભા અંતર્ગત વાંકાનેરનાં ગ્રામીણ વિસ્તારમાં ધાનાણીએ આજે પ્રચાર કર્યો. પૂર્વ ધારાસભ્ય લલિત કાગથરા, પૂંજા વંશ, જાવેદ પીરજાદા સહિતનાં નેતાઓ ધાનાણીનાં પ્રચાર અભિયાનમાં જોડાયા હતા. પોતાને સરદારના અસલી વારસદાર ગણાવનારા અને  બીજેપીનાં નેતાઓને નકલી વારસદાર ગણાવનાર. ધાનાણીએ અસલી-નકલી ની વ્યાખ્યા સ્પષ્ટ કરી હતી, ઉપરાંત અનેક આરોપો બીજેપી પર લગાવ્યા હતા

15:40 PM (IST)  •  30 Apr 2024

અમિત શાહનો નકલી વીડિયો વાયરલ કરવા મામલે આરોપીની ધરપકડ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો નકલી વીડિયો વાયરલ કરવા મામલે અમદાવાદ સાયબર ક્રાઈમબ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી છે. સતિષ વણસોલા અને આર.બી.બારીયા નામના બે આરોપીની અમદાવાદ સાયબર ક્રાઈમબ્રાન્ચે ધરપકડ કરી હતી. બંન્ને આરોપી પર અમિત શાહની પાલનપુર અને લીમખેડાની સભાના વીડિયો એડિટ કરીને વાયરલ કરવાનો આરોપ છે. સૌથી મોટી અને ચોંકાવનારી વાત તો એ છે કે ઝડપાયેલ બંન્ને આરોપી રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા છે. સતીષ વણસોલાની ધરપકડ પર જીજ્ઞેશ મેવાણીએ પ્રતિક્રિયા આપી હતી. જીજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે સતીષ વણસોલા મારો PA નહીં, મારો ભાઈ સમાન છે. સતીષ છ વર્ષથી મારી સાથે જોડાયેલ છે. મેવાણીએ કહ્યું હતું કે સતીષના આત્મસન્માન માટે લડીશું. અમુક માણસોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. સામાન્ય પરિવારના દીકરાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. આ તો તપાસનો વિષય છે. ભાજપના સહપ્રવક્તા દિપક જોશીએ કહ્યું હતું કે વીડિયો વાયરલ કરનાર એ પણ જવાબદાર વ્યક્તિ છે. ભાજપ નેતા જયરાજસિંહે કહ્યું હતું કે આરોપી કયા સમાજ કે જ્ઞાતિનો છે તે લેવાદેવા નથી. કૉંગ્રેસ જ્ઞાતિગત રાજનીતિ કરે છે. આ નકલી વીડિયો કોણે વાયરલ કર્યો તે તપાસનો વિષય છે.

15:39 PM (IST)  •  30 Apr 2024

સુરત બેઠક બિનહરીફ છતાં ભાજપમાં ડખો, અલ્પેશ-ધાર્મિક મુદ્દે કિશોર કાનાણી રિસાયા

સુરત ભાજપ માટે હાલમાં જ એક આનંદના સમાચાર સામે આવ્યા હતા, સુરત લોકસભા બેઠક પર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટયા અને ભારતીય જનતા પાર્ટીને 2024 લોકસભા ચૂંટણી દરમિયાન પહેલા સાંસદ મળી ગયા, પરંતુ હવે સુરતમાં ભાજપમાં જ અંદરોઅંદર ડખો શરૂ થયો છે. અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાતા ભાજપમાં નારાજગી દેખાઇ રહી છે. આ બન્ને આપ નેતાના ભાજપ પ્રવેશનાં કાર્યક્રમથી દરમિયાન વરાછાના ધારાસભ્ય કિશોર કાનાણી ગેરહાજર રહ્યાં હતા, તેમની ગેરહાજરીથી નવો ગણગણાટ શરૂ થયો છે. નારાજ થયેલા સ્થાનિક ધારાસભ્ય ભાજપના ભરતી મેળાથી અને સભાઓ દુર અને અળગા રહી રહ્યાં છે. જોકે, જ્યારે તેમને આ અંગે પુછવામાં આવ્યુ તો તેમને કહ્યું કે મારા સિદ્ધાંતોના વિરુદ્ધ થયું એટલે હું દૂર રહ્યો છું. કિશોર કાનાણીએ જણાવ્યું કે, ચૂંટણી વખતે રાજકીય પક્ષો જે નિવેદનો આપે છે તેને લોકો યાદ રાખે છે. મેં પણ મારા નિવેદનો યાદ રાખ્યા છે. હું મારા સિદ્ધાંતો નહીં છોડું, પાર્ટીએ જે નિર્યણ કર્યો છે તે માન્ય છે. ગઇ વિધાનસભા ચૂંટણી વખતે સુરતની વરાછા બેઠક પર ભાજપના કિશોર કાનાણીની સામે આમ આદમી પાર્ટીના અલ્પેશ કથીરિયા તેમની સામે મેદાનમાં ઉતર્યા હતા, જોકે, અલ્પેશની હાર થઇ હતી.

15:37 PM (IST)  •  30 Apr 2024

'ભાજપના અંતિમ સંસ્કાર મહારાષ્ટ્રમાં થશે, તેથી જ PM મોદીની આત્મા અહીં ભટકી રહી છે' - સંજય રાઉત

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા પહેલા રાજકીય પક્ષો અને નેતાઓના તીક્ષ્ણ નિવેદનો સામે આવી રહ્યા છે. આ ક્રમમાં, શિવસેના (UBT) નેતા સંજય રાઉતે ભારતીય જનતા પાર્ટી (BJP) અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે તેમને મહારાષ્ટ્ર સાથે કોઈ લેવાદેવા નથી. મોદીજીનો આ આત્મા જે ભટકી રહ્યો છે તે ભાજપનું સ્મશાન બનવા જઈ રહ્યું છે. બીજેપીના અંતિમ સંસ્કાર ક્યાંય થશે તો મહારાષ્ટ્રમાં થશે. તેમણે કહ્યું, "આ આત્મા, જે દિલ્હી અને ગુજરાત થઈને મહારાષ્ટ્ર આવે છે, તે વારંવાર મહારાષ્ટ્રમાં કેમ ભટકી રહી છે? તે ભટકી રહી છે કારણ કે 4 જૂન પછી મહારાષ્ટ્ર ભાજપ માટે સ્મશાન સમાન બનવા જઈ રહ્યું છે. તેથી જ તેનો આત્મા ભટકી રહ્યો છે. મહારાષ્ટ્ર બીજેપીના સ્મશાન સમાન છે કે જેમણે મહારાષ્ટ્રને તોડવાનું ષડયંત્ર રચ્યું છે, ભલે તે શરદ પવાર હોય કે ઉદ્ધવ ઠાકરે, તેમનો આત્મા મહારાષ્ટ્ર અને મુંબઈમાં ભટકી ગયો છે આ આત્મા સાથે અમારી લડાઈ છે, આ અઘોરી આત્મા છે."

10:43 AM (IST)  •  30 Apr 2024

પ્રચારમાં 'પાઘડી'ની એન્ટ્રી, કોંગ્રેસ ઉમેદવારે ક્ષત્રિયોની સામે પાઘડી ઉતારી

મહેસાણા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર પુરજોશમાં પ્રચાર કરી રહ્યાં છે, હાલમાં જ તેમને વિજાપુર તાલુકામાં એક જનસભાને સંબોધતા 'પાઘડી' પ્રચાર શરૂ કર્યો હતો. ગઇકાલે કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે કુકરવાડામાં એક ચૂંટણી સભાને સંબોધી હતી, આ સભામાં મોટાભાગે ઠાકોર ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતા, અહીં રામજી ઠાકોરે 'પાઘડી' રાજનીતિ શરૂ કરી હતી. કુકરવાડામાં સભા સંબોધતા વખતે રામજી ઠાકોરે ફરી એકવાર પોતાની પાઘડી ઉતારી દીધી હતી, તેમને પાઘડી ઉતારી ક્ષત્રિય સમાજના લોકો પાસે મતની અપીલ કરી હતી. ઠાકોર સમાજને પાઘડીની આબરૂ રાખવા બે હાથ જોડીને રામજી ઠાકોરે અપીલ કરી હતી, અને કહ્યું કે આ ઠાકોરની આબરૂ રાખજો. ખાસ વાત છે કે, આ અગાઉ પણ કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોરે મહેસાણાની એક જનસભામાં પોતાની પાઘડી ઉતારીને મત આપવા અપીલ કરી હતી.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: સૌરાષ્ટ્રમાં જળપ્રલય તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં જળપ્રલય તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Advertisement
metaverse

વિડિઓઝ

Weather Forecast: 3 દિવસ દરમિયાન રાજ્યમાં સારો વરસાદ થવાની અંબાલાલ પટેલે કરી આગાહીVadodara News: બોર્ડની પૂરક પરીક્ષામાં છબરડો, વિદ્યાર્થીઓ-વાલીઓએ એક સેન્ટરથી બીજા સેન્ટરે દોડવું પડ્યુંABVP Protests: GCAS પોર્ટલને લઇને ગુજરાતમાં ઠેર-ઠેર ABVPનું વિરોધ પ્રદર્શનAmreli News: હનુમાનપુરામાં રેતી વોશિંગ કરતા સમયે વીજ કરંટ લાગતા 3ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં જળપ્રલય તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં જળપ્રલય તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
Delhi CM Arvind Kejriwal: સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ન આપી કોઈ રાહત, કહ્યું- હાઈકોર્ટના નિર્ણયની....
Delhi CM Arvind Kejriwal: સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ન આપી કોઈ રાહત, કહ્યું- હાઈકોર્ટના નિર્ણયની....
કેરળ બનશે ‘કેરલમ’, રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ વિધાનસભામાં પાસ
કેરળ બનશે ‘કેરલમ’, રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ વિધાનસભામાં પાસ
1 જુલાઈથી હીરોના બાઇક અને સ્કૂટર થશે મોંઘા, જાણો કંપની ભાવમાં કેટલો વધારો કરશે
1 જુલાઈથી હીરોના બાઇક અને સ્કૂટર થશે મોંઘા, જાણો કંપની ભાવમાં કેટલો વધારો કરશે
Embed widget