શોધખોળ કરો

Rahul Gandhi: રાહુલ ગાંધી બનશે લોકસભામાં વિપક્ષના નેતા? કોંગ્રેસ સાંસદે કરી માંગ

Opposition Leader: લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સને બહુમતી મળી છે

Opposition Leader: લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ને બહુમતી મળી છે, પરંતુ વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા' એ પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. સ્પષ્ટ થઈ ગયું છે કે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. આવી સ્થિતિમાં હવે લોકસભામાં વિપક્ષના નેતા કોણ હશે તેની ચર્ચા ચાલી રહી છે. દરમિયાન સૂત્રોએ એબીપી ન્યૂઝને જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા (LOP) બની શકે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસમાં આંતરિક વિચાર કરવામાં આવી રહ્યો છે કે રાહુલ ગાંધી ગૃહમાં કોંગ્રેસની કમાન સંભાળે અને લોકસભામાં વિપક્ષના નેતા બને. કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં લોકસભામાં કોંગ્રેસના નેતાનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવનાર છે. દરમિયાન કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે પણ ખુલ્લેઆમ રાહુલ ગાંધીને વિપક્ષના નેતા (LOP) બનાવવાની માંગ કરી છે.

મણિકમ ટાગોરે શું કહ્યું?

મણિકમ ટાગોરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું, “મેં મારા નેતા રાહુલ ગાંધીના નામ પર વોટ માંગ્યા છે. આવી સ્થિતિમાં હું માનું છું કે રાહુલ ગાંધી લોકસભામાં કોંગ્રેસના નેતા હોવા જોઈએ. હું આશા રાખું છું કે કોંગ્રેસના અન્ય સાંસદો પણ મારી જેમ વિચારશે. જોઈએ કોંગ્રેસ સંસદીય દળ શું નિર્ણય લે છે. અમે લોકતાંત્રિત પક્ષ છીએ.

લોકસભામાં વિપક્ષના નેતા બનવા માટે 10 ટકાથી વધુ બેઠકો હોવી જરૂરી છે. 2014માં કોંગ્રેસે 44 સીટો જીતી હતી અને 2019માં 52 સીટો જીતી હતી પરંતુ આ વખતે પાર્ટીને 99 સીટો મળી છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીના વિપક્ષના નેતા બનવાની સૌથી વધુ સંભાવના છે.

રાહુલ ગાંધી વિપક્ષના નેતા કેમ બની શકે?

લોકસભા ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા'ના શાનદાર પ્રદર્શનમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહત્વની ભૂમિકા ભજવી છે. મહાગઠબંધનમાં કોંગ્રેસે પણ સૌથી વધુ બેઠકો જીતી છે. તાજેતરમાં જ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા સંજય રાઉતે પણ કહ્યું હતું કે જો કેન્દ્રમાં ગઠબંધન 'ઇન્ડિયા' સરકાર રચાય છે અને રાહુલ ગાંધી પીએમ બનવા માંગે છે તો અમે તેનો વિરોધ નહીં કરીએ, પરંતુ હવે સ્પષ્ટ થઈ ગયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપની આગેવાની હેઠળ એનડીએ કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહી છે.

કારણ કે ટીડીપી અને જેડીયુએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ એનડીએમાં જ રહેશે. આવી સ્થિતિમાં, એ સ્પષ્ટ થઈ ગયું છે કે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લઈ રહ્યા છે, તેથી હવે રાહુલ ગાંધી ગૃહમાં વિપક્ષના નેતા બનવાની સંભાવના વધારે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget