શોધખોળ કરો
શ્રીદેવીના અંતિમ સંસ્કાર બાદ કપૂર પરિવારે કરી અપીલ, જાણો પુત્રીઓને લઈને શું કહ્યું....
1/6

નવી દિલ્હીઃ ભારતની સુંદર અભિનેત્રી અને લાખો દીલો પર રાજ કરનારી બોલીવુડની ‘ચાંદની’ શ્રીદેવી હંમેશા હંમેશા માટે દુનિયામાં ચાલી ગઈ છે. શ્રીદેવીના અંતિમ સંસ્કાર બુધવારે મુંબઈના વિલે પાર્લે શ્મશાન ભૂમિમાં થયા. શ્રીદેવીની અંતિમ વિદાય બાદ તેના પરિવાર તરફથી એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. નિવેદનમાં પરિવારે કહ્યું કે આ ખૂબ જ મુશ્કેલભર્યો સમય રહ્યો.
2/6

પતિ બોની કપૂરે સોશિયલ મીડિયા પર એક લેટર પોસ્ટ કરી પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. આમાં તેમણે લખ્યું છે કે, ‘એક દોસ્ત, પત્ની અને બે જવાન પુત્રીઓની માતાને ગુમાવી દેવાનું દુ:ખ શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. હું બધા પરિવારજનો, દોસ્તો, સાથીઓ, શુભચિંતકો અને મારી શ્રીના અસંખ્ય ફેન્સનો આભાર માનું છું જેઓ અમારી સાથે મજબૂતીથી ઊભા રહ્યાં.
Published at : 01 Mar 2018 07:13 AM (IST)
View More























