આમિર ખાન પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યા છે. તેઓ લાંબા સમયથી ડેટિંગ અને લિવ-ઇનમાં હતા.
61 વર્ષની ઉંમરે આમિર ખાન કરશે ત્રીજા લગ્ન! ગૌરી સ્પ્રેટ સાથે આ દિવસે લેશે ફેરા
Aamir Khan third marriage news આમિર ખાન અને ગૌરી સ્પ્રેટ 5 જુલાઈએ રજિસ્ટર મેરેજથી પ્રભુતામાં પગલાં પાડશે; જાણો તેમના અગાઉના 2 લગ્નો અને અંગત જીવન વિશે.

- આમિર ખાન ત્રીજા લગ્ન ગૌરી સ્પ્રેટ સાથે કરશે.
- 5 જુલાઈએ ખાનગી રીતે લગ્ન કરશે; નજીકનાઓ હાજર.
- આમિરે 60મા જન્મદિવસે ગૌરીનો પરિચય કરાવ્યો હતો.
- રીના દત્તા, કિરણ રાવ સાથેના બે લગ્ન તૂટ્યા.
Aamir Khan third marriage news: બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ એટલે કે આમિર ખાન ફરી એકવાર પોતાના અંગત જીવનને લઈને જબરદસ્ત ચર્ચામાં આવ્યા છે. મળતા અહેવાલો મુજબ, 61 વર્ષની ઉંમરે આમિર ખાન પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે ત્રીજી વાર લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહ્યા છે. આ સમાચાર સાંભળીને ચાહકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. લાંબા સમયથી ડેટિંગ અને લિવ-ઇનમાં રહ્યા બાદ હવે આ કપલ એકદમ ખાનગી રીતે પોતાના સંબંધને સત્તાવાર નામ આપવા જઈ રહ્યું છે.
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, આમિર અને ગૌરી આગામી 5 જુલાઈએ સાવ ખાનગી રીતે લગ્ન કરવાના છે. આ લગ્નમાં કોઈ મોટો મેળાવડો કે ધામધૂમ નહીં હોય, પરંતુ માત્ર બંનેના પરિવારો અને અમુક નજીકના મિત્રો જ હાજરી આપશે. તેઓ પોતાના ઘરે જ મેરેજ રજિસ્ટર કરીને આ સંબંધ પર મહોર મારશે. એવું કહેવાય છે કે આ બંને છેલ્લા એકાદ વર્ષથી એક જ ઘરમાં પરિવારની જેમ સાથે રહીને ખુશહાલ જીવન વિતાવી રહ્યા છે, અને હવે તેમણે કાયદેસર રીતે પતિ-પત્ની બનવાનો નિર્ણય લીધો છે.
નોંધનીય છે કે, આમિરે પોતાના 60મા જન્મદિવસે જ ગૌરીની મુલાકાત મીડિયા સાથે કરાવી હતી. ત્યારથી આ બંને ઘણી ઇવેન્ટ્સ અને પાર્ટીઓમાં સાથે જોવા મળતા હતા. પોતાના સંબંધ વિશે ખુશી વ્યક્ત કરતા આમિરે એકવાર કહ્યું હતું કે, "આજે હું મારી જાતને સંપૂર્ણ અનુભવું છું. મારા જીવનમાં ગૌરી હોવાથી હું ખૂબ જ ભાગ્યશાળી છું." અગાઉની પત્નીઓ સાથે પણ તેમના સંબંધો ગાઢ રહ્યા હતા, પરંતુ તે લાંબો સમય ટકી શક્યા નહોતા.
આમિરના અગાઉના લગ્નજીવન પર નજર કરીએ તો, તેમણે 1986 માં રીના દત્તા સાથે ભાગીને પહેલા લગ્ન કર્યા હતા. રીના અને આમિરને આયરા અને જુનૈદ એમ 2 બાળકો છે. 16 વર્ષના લાંબા સંસાર બાદ 2002 માં બંને અલગ થઈ ગયા હતા. ત્યારબાદ 3 વર્ષ પછી, 2005 માં આમિરે ડિરેક્ટર કિરણ રાવ સાથે બીજા લગ્ન કર્યા. 2011 માં તેમના પુત્ર આઝાદનો જન્મ થયો હતો. જોકે, 2021 માં કિરણ રાવ સાથે પણ આમિરના છૂટાછેડા થઈ ગયા. હવે આ ત્રીજા લગ્ન સાથે આમિર પોતાના જીવનની નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ Arijit Singh Retirement: સંગીત જગતમાં ખળભળાટ! અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગ છોડ્યું; ફેન્સને મોટો ઝટકો
Frequently Asked Questions
આમિર ખાન કોની સાથે ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યા છે?
આમિર ખાન અને ગૌરી સ્પ્રેટ ક્યારે અને કેવી રીતે લગ્ન કરશે?
મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેઓ આગામી 5 જુલાઈએ સાવ ખાનગી રીતે લગ્ન કરવાના છે. તેઓ ઘરે જ મેરેજ રજિસ્ટર કરશે, જેમાં માત્ર પરિવાર અને નજીકના મિત્રો હાજર રહેશે.
આમિર ખાનના અગાઉના લગ્નજીવન વિશે શું માહિતી છે?
આમિરે પહેલા રીના દત્તા અને પછી કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા. રીના સાથે 16 વર્ષ બાદ 2002 માં અને કિરણ સાથે 2021 માં છૂટાછેડા થયા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર





















