શોધખોળ કરો

61 વર્ષની ઉંમરે આમિર ખાન કરશે ત્રીજા લગ્ન! ગૌરી સ્પ્રેટ સાથે આ દિવસે લેશે ફેરા

Aamir Khan third marriage news આમિર ખાન અને ગૌરી સ્પ્રેટ 5 જુલાઈએ રજિસ્ટર મેરેજથી પ્રભુતામાં પગલાં પાડશે; જાણો તેમના અગાઉના 2 લગ્નો અને અંગત જીવન વિશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આમિર ખાન ત્રીજા લગ્ન ગૌરી સ્પ્રેટ સાથે કરશે.
  • 5 જુલાઈએ ખાનગી રીતે લગ્ન કરશે; નજીકનાઓ હાજર.
  • આમિરે 60મા જન્મદિવસે ગૌરીનો પરિચય કરાવ્યો હતો.
  • રીના દત્તા, કિરણ રાવ સાથેના બે લગ્ન તૂટ્યા.

Aamir Khan third marriage news: બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ એટલે કે આમિર ખાન ફરી એકવાર પોતાના અંગત જીવનને લઈને જબરદસ્ત ચર્ચામાં આવ્યા છે. મળતા અહેવાલો મુજબ, 61 વર્ષની ઉંમરે આમિર ખાન પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે ત્રીજી વાર લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહ્યા છે. આ સમાચાર સાંભળીને ચાહકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. લાંબા સમયથી ડેટિંગ અને લિવ-ઇનમાં રહ્યા બાદ હવે આ કપલ એકદમ ખાનગી રીતે પોતાના સંબંધને સત્તાવાર નામ આપવા જઈ રહ્યું છે.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, આમિર અને ગૌરી આગામી 5 જુલાઈએ સાવ ખાનગી રીતે લગ્ન કરવાના છે. આ લગ્નમાં કોઈ મોટો મેળાવડો કે ધામધૂમ નહીં હોય, પરંતુ માત્ર બંનેના પરિવારો અને અમુક નજીકના મિત્રો જ હાજરી આપશે. તેઓ પોતાના ઘરે જ મેરેજ રજિસ્ટર કરીને આ સંબંધ પર મહોર મારશે. એવું કહેવાય છે કે આ બંને છેલ્લા એકાદ વર્ષથી એક જ ઘરમાં પરિવારની જેમ સાથે રહીને ખુશહાલ જીવન વિતાવી રહ્યા છે, અને હવે તેમણે કાયદેસર રીતે પતિ-પત્ની બનવાનો નિર્ણય લીધો છે.

નોંધનીય છે કે, આમિરે પોતાના 60મા જન્મદિવસે જ ગૌરીની મુલાકાત મીડિયા સાથે કરાવી હતી. ત્યારથી આ બંને ઘણી ઇવેન્ટ્સ અને પાર્ટીઓમાં સાથે જોવા મળતા હતા. પોતાના સંબંધ વિશે ખુશી વ્યક્ત કરતા આમિરે એકવાર કહ્યું હતું કે, "આજે હું મારી જાતને સંપૂર્ણ અનુભવું છું. મારા જીવનમાં ગૌરી હોવાથી હું ખૂબ જ ભાગ્યશાળી છું." અગાઉની પત્નીઓ સાથે પણ તેમના સંબંધો ગાઢ રહ્યા હતા, પરંતુ તે લાંબો સમય ટકી શક્યા નહોતા.

આમિરના અગાઉના લગ્નજીવન પર નજર કરીએ તો, તેમણે 1986 માં રીના દત્તા સાથે ભાગીને પહેલા લગ્ન કર્યા હતા. રીના અને આમિરને આયરા અને જુનૈદ એમ 2 બાળકો છે. 16 વર્ષના લાંબા સંસાર બાદ 2002 માં બંને અલગ થઈ ગયા હતા. ત્યારબાદ 3 વર્ષ પછી, 2005 માં આમિરે ડિરેક્ટર કિરણ રાવ સાથે બીજા લગ્ન કર્યા. 2011 માં તેમના પુત્ર આઝાદનો જન્મ થયો હતો. જોકે, 2021 માં કિરણ રાવ સાથે પણ આમિરના છૂટાછેડા થઈ ગયા. હવે આ ત્રીજા લગ્ન સાથે આમિર પોતાના જીવનની નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Arijit Singh Retirement: સંગીત જગતમાં ખળભળાટ! અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગ છોડ્યું; ફેન્સને મોટો ઝટકો

Frequently Asked Questions

આમિર ખાન કોની સાથે ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યા છે?

આમિર ખાન પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યા છે. તેઓ લાંબા સમયથી ડેટિંગ અને લિવ-ઇનમાં હતા.

આમિર ખાન અને ગૌરી સ્પ્રેટ ક્યારે અને કેવી રીતે લગ્ન કરશે?

મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેઓ આગામી 5 જુલાઈએ સાવ ખાનગી રીતે લગ્ન કરવાના છે. તેઓ ઘરે જ મેરેજ રજિસ્ટર કરશે, જેમાં માત્ર પરિવાર અને નજીકના મિત્રો હાજર રહેશે.

આમિર ખાનના અગાઉના લગ્નજીવન વિશે શું માહિતી છે?

આમિરે પહેલા રીના દત્તા અને પછી કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા. રીના સાથે 16 વર્ષ બાદ 2002 માં અને કિરણ સાથે 2021 માં છૂટાછેડા થયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

61 વર્ષની ઉંમરે આમિર ખાન કરશે ત્રીજા લગ્ન! ગૌરી સ્પ્રેટ સાથે આ દિવસે લેશે ફેરા
61 વર્ષની ઉંમરે આમિર ખાન કરશે ત્રીજા લગ્ન! ગૌરી સ્પ્રેટ સાથે આ દિવસે લેશે ફેરા
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
Movies In June 2026: જૂનમાં મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ રહી છે આ 7 ધાંસૂ હિન્દી ફિલ્મ
Movies In June 2026: જૂનમાં મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ રહી છે આ 7 ધાંસૂ હિન્દી ફિલ્મ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Embed widget