![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
વધુ એક હૉટ એક્ટ્રેસે કરી લગ્નની જાહેરાત, 12 વર્ષ લાંબા ડેટિંગ બાદ આ તારીખે બૉયફ્રેન્ડ સાથે કરશે લગ્ન, જાણો
રિપોર્ટ્સ અનુસાર, બન્ને 21 જુલાઇએ સિમ્પલ લગ્ન કરશે. લગ્ન એક મંદિરમાં થશે અને આર્ય સમાજ અનુસાર તમામ અનુષ્ઠાનોનુ પાલન કરવામાં આવશે.
![વધુ એક હૉટ એક્ટ્રેસે કરી લગ્નની જાહેરાત, 12 વર્ષ લાંબા ડેટિંગ બાદ આ તારીખે બૉયફ્રેન્ડ સાથે કરશે લગ્ન, જાણો actress payal rohatgi will marry with boyfriend sangram singh in next july 2022, see wedding date and details વધુ એક હૉટ એક્ટ્રેસે કરી લગ્નની જાહેરાત, 12 વર્ષ લાંબા ડેટિંગ બાદ આ તારીખે બૉયફ્રેન્ડ સાથે કરશે લગ્ન, જાણો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/24/ba0d5268d59f46e458044c14f3c58a76_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Payal Rohatgi Sangram Singh Wedding: પાયલ રોહતગી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તાજેતરમાં જ તે લૉકઅપ શૉમાં ફર્સ્ટ રનર અપ બનીને બહાર આવીછે. શૉ દરમિયાન તે પોતાની પર્સનલ લાઇફને લઇને ખુબ ચર્ચામાં રહી. આ દરમિયાન તેને બૉયફ્રેન્ડ સંગ્રામ સિંહ સાથે લગ્નનો પ્રપૉઝ પણ કર્યો. આવામાં કપલ સાથે જોડાયેલી ખાસ જાણકારી સામે આવી છે.
આમ તો બધા જાણે છે પાયલ રોહતગી (Payal Rohatgi) અને સંગ્રામ સિંહ (Sangram Singh)નો પ્રેમ કોઇનાથી છુપાયેલો નથી. બન્ને છેલ્લા 12 વર્ષથી એકબીજાને પ્રેમ કરે છે, બન્નેએ 12 વર્ષના લાંબા ડેટિંગ બાદ હવે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. તાજેતરમાં જ પાયલ રોહતગી કંગના રનૌતના શૉ લૉક અપ (Lock Upp)માંથી બહાર આવી છે. શૉ દરમિયાન પાયલ રોહતગીએ સંગ્રામ સિંહને જલદી લગ્ન કરવાનો વાયદો કર્યો હતો, આ પછી ફેન્સ તેમના વેડિંગ ડેટ માટે ઉતાવળા થયા હતા.
હવે કપલે ખુદ પોતાના લગ્નની તારીખનુ એલાન સોશ્યલ મીડિયા પર કર્યુ છે. સંગ્રામ સિંહ અને પાયલ રોહતગી બન્નેએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના લગ્નને લઇએ એક તસવીરની સાથે એક પૉસ્ટ શેર કરી છે, તસવીરમાં પાયલ રોહતગી અને સંગ્રામ સિંહ દેખાઇ રહ્યો છે. બન્ને અખાડામાં દેખાઇ રહ્યાં છે.
તસવીરની સાથે તેમને કેપ્શન લખ્યું છે - આ જુલાઇમાં અમે લગ્નનાં બંધનમાં બંધાઇ રહ્યાં છીએ. રિપોર્ટ્સ અનુસાર, બન્ને 21 જુલાઇએ સિમ્પલ લગ્ન કરશે. લગ્ન એક મંદિરમાં થશે અને આર્ય સમાજ અનુસાર તમામ અનુષ્ઠાનોનુ પાલન કરવામાં આવશે. લગ્નની મોટા ભાગની વિધિઓ ગુજરાત કે હરિયાણામાં થશે. લગ્ન પહેલા થનારા તમામ ફન્ક્શન જેવી કે પીઢી અને મહેંદી પણ આ દરમિયાન થશે. ઉલ્લેખનીય છે કે, 21 જુલાઇ એ સંગ્રામસિંહનો બર્થડે છે.
View this post on Instagram
ક્યારેય પણ માં નહીં બની શકે પાયલ રોહતગી
પાયલ રોહતગીએ લૉકઅપમાં એ વાતનો ખુલાસો કરતાં તે ભાવુક થઇ ગઇ કે તે ક્યારેય માં નહીં બની શકે. તેને આઇવીએફ જેવી કેટલીય ટેકનિકોને અપનાવી પણ કોઇ ફાયદો નથી દેખાયો. શૉમાં આ વાતનો ખુલાસો કરતાં તે રડવા લાગી હતી.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)