શોધખોળ કરો

Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ

Tirupati Temple Stampede: તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ વૈકુંઠ એકાદશી 2025 માટે ઓનલાઈન બુકિંગ અને ટિકિટ આપવાનું શરૂ કરતાની સાથે જ ભીડ કાબૂ બહાર ગઈ.

Tirupati Temple Stampede: આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગને કારણે 4 લોકોના મોત થયા છે. નાસભાગને કારણે અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માતમાં 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ વૈકુંઠ એકાદશી 2025 માટે ઓનલાઈન બુકિંગ અને ટિકિટ આપવાનું શરૂ કરતાં તિરુપતિમાં વાર્ષિક વૈકુંઠ દર્શન ટિકિટ કાઉન્ટર પર અરાજકતા ફેલાઈ ગઈ હતી.

 

નાસભાગને કારણે અરાજકતા સર્જાઈ હતી, જેમાં 4 લોકોના મોત થયા હતા. સ્થિતિ વણસતી જોઈને તિરુપતિ પોલીસે ચાર્જ સંભાળી લીધો અને સ્થિતિને કાબુમાં લીધી. કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 4,000 લોકો દર્શન માટે કતારમાં ઉભા હતા. ટેમ્પલ કમિટીના ચેરમેન બીઆર નાયડુ પરિસ્થિતિને લઈને ઈમરજન્સી બેઠક કરી રહ્યા છે. બેઠક બાદ તેઓ મીડિયાને સંબોધશે.

મુખ્યમંત્રીએ શું કહ્યું?

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તિરુમાલા શ્રીવારી વૈકુંઠ દ્વાર પર દર્શન માટે ટોકન માટે તિરુપતિમાં વિષ્ણુ નિવાસમ પાસે થયેલી ભાગદોડમાં 4 શ્રદ્ધાળુઓના મોત પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કર્યો છે. રાજ્યના ગૃહમંત્રી અનિતાએ પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદનમાં ઘાયલોને વધુ સારી તબીબી સુવિધા સુનિશ્ચિત કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ગૃહમંત્રી અનિતાએ તિરુપતિ જિલ્લાના એસપી સુબ્બારાયાડુ સાથે ફોન પર વાત કરી અને વિગતવાર માહિતી લીધી.

સીએમ ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું, હું માનનીય ગૃહ પ્રધાનને રૂઇયા હોસ્પિટલના ઇમરજન્સી સેવા વિભાગમાં પરિસ્થિતિને નિયંત્રિત કરવા વિનંતી કરું છું. શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને, ગૃહ પ્રધાને મહિલાઓ, બાળકોની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવાનો આદેશ આપ્યો છે. 

જગન મોહન રેડ્ડીએ ભક્તોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો

વાયએસઆરસીપીના પ્રમુખ વાયએસ જગન મોહન રેડ્ડીએ નાસભાગમાં ભક્તોના દુ:ખદ મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી અને સરકારને વિનંતી કરી કે ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સંભાળ સુનિશ્ચિત કરવામાં આવે. તેમણે હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્ત ભક્તોના ઝડપી સ્વસ્થ થવાની પણ શુભેચ્છા પાઠવી હતી.

આ પણ વાંચો....

Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી
નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
Amit Shah: 'ચૂંટણી જીત્યો છું, કોઈની કૃપાથી સંસદમાં નથી આવ્યો', રાજ્યસભામાં અમિત શાહનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપ
Amit Shah: 'ચૂંટણી જીત્યો છું, કોઈની કૃપાથી સંસદમાં નથી આવ્યો', રાજ્યસભામાં અમિત શાહનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજ અધિકારીઓનું સરઘસ ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે હોળી, કોના બાપની ધુળેટી?Patan Accident News: પાટણમાં ડમ્પરની અડફેટે એકનું મોત, લોકોએ ડમ્પરને લગાવી આગKumar Kanani Letter Bomb: સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ | abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી
નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
Amit Shah: 'ચૂંટણી જીત્યો છું, કોઈની કૃપાથી સંસદમાં નથી આવ્યો', રાજ્યસભામાં અમિત શાહનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપ
Amit Shah: 'ચૂંટણી જીત્યો છું, કોઈની કૃપાથી સંસદમાં નથી આવ્યો', રાજ્યસભામાં અમિત શાહનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપ
IPL 2025: 'હવે 300 રન પણ દૂર નથી', આઈપીએલની શરુઆત પહેલા શુભમન ગિલનું મોટું નિવેદન
IPL 2025: 'હવે 300 રન પણ દૂર નથી', આઈપીએલની શરુઆત પહેલા શુભમન ગિલનું મોટું નિવેદન
Recuitment:રાજ્યની સરકારી હોસ્પિટલ માટે 13 હજારથી વધુ પોસ્ટ પર  ટૂંક સમયમાં થશે તબીબોની ભરતી
Recuitment:રાજ્યની સરકારી હોસ્પિટલ માટે 13 હજારથી વધુ પોસ્ટ પર ટૂંક સમયમાં થશે તબીબોની ભરતી
'ભાભી મને મહાકુંભની તસવીરો મોકલો', સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પાસે હતા કયા ભગવાન?
'ભાભી મને મહાકુંભની તસવીરો મોકલો', સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પાસે હતા કયા ભગવાન?
General Knowledge:  પાણી વગર 9 મહિના સુધી અવકાશમાં કેવી રીતે રહી સુનિતા વિલિયમ્સ?
General Knowledge: પાણી વગર 9 મહિના સુધી અવકાશમાં કેવી રીતે રહી સુનિતા વિલિયમ્સ?
Embed widget