![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
News: સની દેઓલ 2024ની લોકસભા ચૂંટણી નહીં લડે, અચાનક રાજનીતિ છોડી ?
સની દેઓલે કહ્યું કે, અભિનયની દુનિયામાં મારું દિલ જે ઈચ્છે છે તે હું બેફિકર કરું છું. પરંતુ રાજકારણમાં એવું નથી.
![News: સની દેઓલ 2024ની લોકસભા ચૂંટણી નહીં લડે, અચાનક રાજનીતિ છોડી ? BJP MP Retired: gurdaspur mp and gadar-2 star sunny deol will not contest 2024 lok sabha elections News: સની દેઓલ 2024ની લોકસભા ચૂંટણી નહીં લડે, અચાનક રાજનીતિ છોડી ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/19/89cc7d0fbb13100d4eec9649a3d81caf_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sunny Deol: બૉલીવુડ અભિનેતા સની દેઓલ અત્યારે બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહ્યો છે, દેશવાસીઓના મોંઢા પર બસ એક જ નામ છે, તે છે ગદર-2 અને તારાસિંહ, પરંતુ આ બધાની વચ્ચે સની દેઓલને લઇને એક મોટું અપડેટ પણ સામે આવ્યું છે. ભાજપના સાંસદ અને અભિનેતા સની દેઓલનો તાજેતરનો ઈન્ટરવ્યૂ વાયરલ થઈ રહ્યો છે. આ ઈન્ટરવ્યૂમાં અભિનેતાએ રાજનીતિથી અલગ થવાની જાહેરાત કરી છે. સની દેઓલે કહ્યું કે તે 2024માં લોકસભા ચૂંટણી નથી લડવાનો, કેમ કે એક્ટર બની રહેવું જ મારી ચૂંટણી છે, મને લાગે છે કે, હું એક એક્ટર તરીકે જ દેશ સેવા કરવા માંગુ છે.
'ફિલ્મોમાં કરવા માંગું છું વધુ કામ...'
સની દેઓલે કહ્યું કે, અભિનયની દુનિયામાં મારું દિલ જે ઈચ્છે છે તે હું બેફિકર કરું છું. પરંતુ રાજકારણમાં એવું નથી. જો મેં રાજકારણમાં કંઈક કર્યું હોય અને તેને પૂરું ના કરી શકું તો તે મારા અને જનતા બંને માટે ખોટું છે.
લોકસભામાં આ માટે નથી જવાનો સની દેઓલ - -
લોકસભામાં પોતાની 19 ટકા હાજરી અંગે સની દેઓલે કહ્યું કે, હું જ્યારે પણ સંસદમાં જાઉં છું ત્યારે જોઉં છું કે કેટલા મોટા લોકો દેશ ચલાવી રહ્યા છે, તમામ પક્ષોના દિગ્ગજ નેતાઓ અહીં બેઠા છે, પરંતુ અહીં લોકો એકબીજા સાથે કેવી રીતે વર્તે છે, જ્યારે અમે અન્ય લોકોને નમ્ર બનવાની સલાહ આપીએ છીએ. આ બધું આપીને મને લાગે છે કે હું આ બધું કરી શકીશ નહીં. અહીં આવવું સારું છે, મારે બીજે ક્યાંક જવું જોઈએ. આમ પણ હવે હું ચૂંટણી લડવાનો નથી.
2019માં પહેલીવાર લડ્યો હતો ચૂંટણી -
ગદર 2 થી ધૂમ મચાવનાર એક્ટર સની દેઓલે વર્ષ 2019માં પોતાની રાજકીય સફર શરૂ કરી હતી. અભિનેતાએ વર્ષ 2019 માં પંજાબની ગુરદાસપુર લોકસભા બેઠક પરથી પોતાનું નસીબ અજમાવ્યું અને જનતાએ પણ તેમને તેમના નેતા તરીકે ચૂંટ્યા. ગુરદાસપુરની જનતાએ સની દેઓલને 84 હજારથી વધુ મતોથી લોકસભામાં મોકલ્યા હતા.
સંસદીય ક્ષેત્રમાં થઇ રહ્યો છે જોરદાર વિરોધ -
દરમિયાન, જે લોકોએ તેના પર ખુબ પ્રેમ વરસાવ્યો હતો તે હવે અભિનેતાનો વિરોધ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સની દેઓલે ચૂંટણી પ્રચાર દરમિયાન ગુરદાસપુરના લોકોને આપેલા વાયદા પૂરા કર્યા ના હતા, જ્યારે જીત બાદ અભિનેતા ફરી વળ્યા અને આ 4 વર્ષમાં ક્યારેય ગુરદાસપુર ગયા નથી. આ વાતને લઈને ત્યાંના લોકો તેમનાથી ખૂબ નારાજ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)