શોધખોળ કરો

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 

પ્રખ્યાત લોકગાયિકા શારદા સિન્હા હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમણે આજે દિલ્હીની એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા.

પ્રખ્યાત લોકગાયિકા શારદા સિન્હા હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમણે આજે દિલ્હીની એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. શારદા સિન્હાને બિહારની સ્વર કોકિલા કહેવામાં આવતા હતા.  

સોમવારે શારદા સિન્હાની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે તે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે શારદા તેમના પતિ બ્રિજકિશોર સિન્હાના અવસાનથી આઘાતમાં હતા. શારદા સિન્હા ઘણા દિવસોથી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ હતા. સોમવારે, ગાયકના પુત્ર અંશુમને તેની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર લાઇવ જઈને તેમની માતાના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યું હતું. 

અંશુમને કહ્યું હતું કે શારદા સિન્હાની તબિયત ખૂબ જ ખરાબ છે. ડોકટરો પ્રયાસ કરી રહ્યા છે. અંશુમને એ પણ વિનંતી કરી હતી કે તેના તમામ ચાહકો તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે અને તેમના વિશે ખોટા સમાચાર ન ફેલાવે.  

સપ્ટેમ્બરમાં શારદા સિન્હાના પતિ બ્રજ કિશોરનું 80 વર્ષની વયે બ્રેઈન હેમરેજને કારણે અવસાન થયું હતું. આ યુગલના લગ્નને 54 વર્ષ થયા હતા. અહેવાલમાં જાણવા મળ્યું હતું કે શારદા સિન્હા તેમના પતિના અવસાનના કારણે આઘાતમાં છે અને ત્યારથી તેમની તબિયત વધુ બગડી છે.

શારદા સિંહાનો જન્મ 1 ઓક્ટોબર 1952ના રોજ બિહારના સુપૌલ જિલ્લામાં થયો હતો. તેમના લગ્ન બેગુસરાય જિલ્લામાં થયા હતા. તેમણે મૈથિલી લોક ગાયિકા તરીકે તેમના કારકિર્દીની શરૂઆત કરી હતી. તે પછી તેમણે હિન્દી, ભોજપુરી અને બજ્જિકા ભાષાઓમાં લોકગીતો પણ ગાયા છે.  

બિહારની બહાર દુર્ગા પૂજા અને અન્ય લગ્ન સમારંભો અથવા મોટા કાર્યક્રમોમાં શારદા સિન્હા દ્વારા ગાયેલા ગીતો ખૂબ જ લોકપ્રિય છે. તેમને 1991માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી અને 2018માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. આ સિવાય તેમને બિહાર કોકિલા અને સંગીત નાટક અકાદમી પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. છઠ પૂજા પર ગાયેલા તેમના ગીતો બિહાર અને ઉત્તર ભારતના લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget