શોધખોળ કરો

ફિલ્મમેકર મધુર ભંડારકર કોરોના પોઝિટિવ, જાણો ટ્વિટ કરી શું કહ્યું ?

કોરોનાની ત્રીજી લહેરમાં એક પછી એક સેલિબ્રિટી કોરોના સંક્રમિત થઈ રહી છે.  ફિલ્મમેકર મધુર ભંડારકરનો  કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

મુંબઈ: કોરોનાની ત્રીજી લહેરમાં એક પછી એક સેલિબ્રિટી કોરોના સંક્રમિત થઈ રહી છે.  ફિલ્મમેકર મધુર ભંડારકરનો  કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  ફિલ્મમેકર મધુર ભંડારકરે પોસ્ટ શેર કરીને લખ્યું, "મારો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેં વેક્સિનના બંને ડોઝ લીધા છે તેમ છતાં હું કોરોનાની ઝપેટમાં આવી ગયો છું જો કે હું હળવા લક્ષણો મહેસૂસ કરી રહ્યો છું. હું ઘરે હોમ ક્વોરન્ટાઈન છું. જે લોકો પણ મારા સંપર્કમાં આવ્યા છે, કૃપા કરીને તમારો ટેસ્ટ કરાવી લો. તમામ લોકો સુરક્ષિત રહો અને કોવિડ-19ના પ્રોટોકોલનું પાલન કરો."

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં ‘બાઘા’નું પાત્ર ભજવનારો ગુજરાતી અદાકાર તન્મય વેકરિયા પણ કોરોના સંક્રમિત થયો છે. તન્મય વેકરિયાએ પોતે સોશિયલ મીડિયાના માધ્યમથી આ જાણકારી આપી છે.

આ ઉપરાંત સિંગર અરિજીત સિંહને પણ કોરોના થયો છે. પોપ્યુલર સિંગર અરિજીત સિંહે પોતાના કોરોના સંક્રમિત હોવાની જાણકારી સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને ફેન્સને આપી છે. અરિજીત સિંહે લખ્યું છે કે, મારો અને મારી પત્નીનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અમે બંને સ્વસ્થ છીએ અને હોમ ક્વોરન્ટીન છીએ.

‘બાહુબલિ’ ફિલ્મમાં ‘કટપ્પા’નું પાત્ર ભજવીને પોપ્યુલર થનારા એક્ટર સત્યરાજ પણ કોરોના સંક્રમિત થયા છે. તેમને ચેન્નઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નેશનલ અવોર્ડ વિનિંગ ફિલ્મમેકર પ્રિયદર્શનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેમને પણ ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણીતા  ડાયરેક્ટર મધુર ભંડારકર પણ કોરોના પોજિટિવ આવ્યા છે.

જાણીતા મ્યુઝિક કંપોઝર અને સિંગર વિશાલ દદલાની  કોવિડ-19ની લપેટમાં આવી જતાં ક્વોરેન્ટાઈન થયેલા છે.  હવે વિશાલ દદલાનીના પિતા મોતી દદલાનીનું અવસાન થતાં વિશાલનો પરિવાર અત્યંત દુઃખી છે પણ વિશાલ પોતાના પરિવારને સાંત્વન આપવા સુધ્ધાં જઈ શકતો નથી.

ઘણી જાણીતી સેલિબ્રિટીઝ કોરોનાનો ભોગ બની રહી છે. આ યાદીમાં  હવે બોલીવુડની બે એક્ટ્રેસનો પણ સમાવેશ થયો છે. એક્ટ્રેસ સ્વરા ભાસ્કર પોતાના આખા પરિવાર સાથે અને અભિનેત્રી કુબ્રા સૈત કોરોનાનો ભોગ બની છે. સ્વરા ભાસ્કર રાંઝણા, પ્રેમ રતન ધન પાયો, નીલ બટ્ટે સન્નાટા, અનારકલી ઓફ આરાહ વગેરે ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

સ્વરા ભાસ્કરે ટ્વિટર પરથી અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી માહિતી આપી છે કે, હું અને મારો પરિવાર કોરોના પોઝિટિવ આવ્યા છે. સ્વરાએ જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલાં તેને માથાનો દુખાવો અને તાવ જેવાં લક્ષણ જોવા મળ્યા હતા. તેણે પોતાની મેડિક તપાસ કરાવી હતી અને આરટીસીપીસીઆર ટેસ્ટ કરાવ્યો. આ ટેસ્ટમાં પોતે કોરોના પોઝિટિવ આવી હતી. સાથે સાથે તેનો પરિવાર પણ કોરોનાના સપાટામાં આવ્યો છે. સ્વરાએ પોતાના પ્રશંસકોને સુરક્ષિત રહેવાની અને માસ્ક પહેરવાની વિનંતી કરી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget