શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કપિલ શર્મા શોમાં ગોવિંદાના કાર્યક્રમમાં ભાણિયા અભિષેકને ફરી ના રખાયો હાજર, અભિષેકે કોને સમાધાન કરાવાવ કરી વિંનંતી?
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી ગોવિંદા અને કૃષ્ણા વચ્ચે વિવાદ થયો છે. આ વિવાદને લઇને કપિલ શર્મા શોમાં ગોવિંદાના કાર્યક્રમમાં ભાણિયા અભિષેકને ફરી હાજર રખાયો ન હતો
![કપિલ શર્મા શોમાં ગોવિંદાના કાર્યક્રમમાં ભાણિયા અભિષેકને ફરી ના રખાયો હાજર, અભિષેકે કોને સમાધાન કરાવાવ કરી વિંનંતી? kapil sharma controversy: krishna abhishek wants to reconcile with mama govinda કપિલ શર્મા શોમાં ગોવિંદાના કાર્યક્રમમાં ભાણિયા અભિષેકને ફરી ના રખાયો હાજર, અભિષેકે કોને સમાધાન કરાવાવ કરી વિંનંતી?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/16173618/Kriahna-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ટેલિવિઝનનો કૉમેડી શૉ કપિલ શર્મા હાલ ખુબ ચર્ચામાં છે, કારણ એ છે કે કપિલના શૉમાં ગોવિંદા અને અભિષેકને લઇને ચર્ચા જાગી છે. કોમેડિયન કૃષ્ણા અભિષેક તથા તેના મામા ગોવિંદાની વચ્ચે છેલ્લા એક વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. હાલમાં જ ગોવિંદા કોમેડિયન કપિલ શર્માના શોમાં આવ્યો હતો. જોકે, આ સમયે કૃષ્ણા અભિષેક જોવા મળ્યો નહોતો. હવે, કૃષ્ણાએ આ અંગે વાત કરી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી ગોવિંદા અને કૃષ્ણા વચ્ચે વિવાદ થયો છે. આ વિવાદને લઇને કપિલ શર્મા શોમાં ગોવિંદાના કાર્યક્રમમાં ભાણિયા અભિષેકને ફરી હાજર રખાયો ન હતો, અંતે અભિષેકે મામા ગોવિંદા સાથેના વિવાદનો અંત લાવવા કપિલ શર્માને વિનંતી કરી હતી. કૃષ્ણાએ કહ્યું હતું, 'આખરે તે ક્યાં સુધી ઉકેલ લાવવાનો પ્રયાસ કરતો રહે. માત્ર એક ગેરસમજ છે. તેને કહ્યું હુ મામા ગોવિંદાને મળવા માંગુ છુ પરંતુ તે મને મળવા નથી માંગતા, હવે તો માત્ર કપિલ શર્મા જ અમારા વિવાદનો અંત લાવી શકે છે, અને જ્યારે બીજીવાર આવે ત્યારે તે મને સ્ટેજ પર બોલાવે અને બધાની વચ્ચે સમાધાન કરવાનું કહે.
કયા કારણોસર ઉભો થયો હતો વિવાદ....
કૃષ્ણા અભિષેકની પત્ની કાશ્મીરા શાહે એક ટ્વીટ કરી હતી. તેણે ટ્વીટમાં કહ્યું હતું કે લોકો પૈસા માટે નાચતા હોય છે. ગોવિંદાની પત્ની સુનીતાનો આક્ષેપ હતો કે કાશ્મીરાએ આ ટ્વીટના માધ્યમથી ગોવિંદાને સંભળાવ્યું છે. બસ ત્યારથી બંને પરિવાર વચ્ચેના સંબંધો ખરાબ થયા છે. ગયા વર્ષે ગોવિંદા પરિવાર સાથે કપિલ શર્માના શોમાં આવ્યો હતો. ત્યારે કૃષ્ણા શોમાં હાજર રહ્યો નહોતો. તે સમયે સુનીતા નહોતી ઈચ્છતી કે કૃષ્ણા સેટ પર હાજર રહે.
બોમ્બે ટાઈમ્સ સાથેની વાતચીતમાં કૃષ્ણાએ કહ્યું હતું, 'ચીચી મામા શોમાં આવવાના છે, તે વાત મને 10 દિવસ પહેલાં જ ખબર પડી હતી, કારણ કે સુનીતા મામી તેમની સાથે આવવાના નહોતા, તેથી ટીમને લાગ્યું મને પર્ફોર્મ કરવામાં કોઈ વાંધો નથી. ગયા વર્ષે સુનીતા મામી નહોતા ઈચ્છતા કે હું તેમની સામે પર્ફોર્મ કરું. જોકે, આ વખતે આ મારો નિર્ણય હતો.'
આ ઉપરાંત કૃષ્ણાએ કહ્યું હતું, 'હું ગોવિંદા મામાની સાથે સ્ટ્રોંગ રિલેશનશિપ શૅર કરું છું. આ ઝઘડાની મારા પર ઘણી જ અસર થઈ છે. જ્યારે બે લોકો વચ્ચે સંબંધો ખરાબ હોય તો આવામાં કોમેડી કરવી મુશ્કેલ છે. આ ઉપરાંત મારી મજાકનું મામાને ખોટું પણ લાગી શકે છે. સારી કોમેડી માટે સેટ પર વાતાવરણ સારું હોય તે જરૂરી છે. હું ગેરંટી સાથે કહી શકું છે કે જો મેં મામા આગળ સપના બનીને નહીં પણ કૃષ્ણા બનીને પર્ફોર્મ કર્યું હોત તો ધમાલ મચી હોત. હું શોમાં તેમને ટ્રિબ્યૂટ આપી શકત.'
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)