શોધખોળ કરો

Nitin desai suicide: નીતિન દેસાઈ આત્મહત્યા કેસમાં 5 લોકો પર કેસ દાખલ, પત્નીએ પોલીસને આપી આ મહત્વની જાણકારી

આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈના આત્મહત્યા કેસમાં મોટું અપડેટ આવ્યું છે. આ મામલે ખાલાપુર પોલીસે 5 લોકો સામે ગુનો નોંધ્યો છે.

Nitin Desai Death Update: આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈના આત્મહત્યા કેસમાં મોટું અપડેટ આવ્યું છે. આ મામલે ખાલાપુર પોલીસે 5 લોકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે જણાવ્યું કે નીતિન દેસાઈના પત્ની નેહા દેસાઈની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે.

નેહાએ પોલીસને જણાવ્યું હતું કે નીતિન દેસાઈએ ECL ફાયનાન્સ કંપની અને એડલવાઈસ ગ્રુપના અધિકારીઓ દ્વારા દેવાની વસૂલાત અંગે માનસિક દબાણને કારણે આત્મહત્યા કરી હતી. નેહાની ફરિયાદના આધારે પોલીસે ECL ફાયનાન્સ કંપની અને એડલવાઈસના અધિકારીઓ સહિત 5 લોકો વિરુદ્ધ IPCની કલમ 306 અને 34 હેઠળ કેસ નોંધ્યો છે.ખાલાપુર પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

આપઘાત ક્યારે કર્યો ?

2 ઓગસ્ટના રોજ સવારે 4:30 વાગ્યે અચાનક સમાચાર આવ્યા કે  ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ તેમના જ સ્ટુડિયો એનડી ફિલ્મ સ્ટુડિયોમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. નીતિન દેસાઈની આત્મહત્યાના સમાચારે સમગ્ર ઈન્ડસ્ટ્રીને આંચકો આપ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે નીતિન આર્થિક રીતે પરેશાન હતા જેના કારણે તેણે આ પગલું ભરવું પડ્યું.

પોલીસને નીતિનના ફિલ્મ સ્ટુડિયોમાંથી રેકોર્ડિંગ સુસાઇડ નોટ એટલે કે કેટલીક ક્લિપ્સ પણ જોડવામાં આવી છે, જેની પણ પોલીસ તપાસ કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે નીતિનની આત્મહત્યાનું કારણ ક્લિપમાં મળી શકે છે. રેકોર્ડિંગમાં નીતિન દેસાઈએ તેમનો એનડી સ્ટુડિયો તેમની પાસેથી છીનવી ન લેવાનો પણ ઉલ્લેખ કર્યો છે, એમ ઈટાઇમ્સના અહેવાલમાં જણાવાયું છે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો છે કે તેમના અંતિમ સંસ્કાર સ્ટુડિયો નંબર 10માં કરવામાં આવે.

નીતિન દેસાઈએ કેટલીય ફિલ્મોમાં ફિલ્મ સેટ ડિઝાઈનર તરીકે કામ કર્યું છે. આ ફિલ્મોમાં હમ દિલ દે ચૂકે સનમ, દેવદાસ, લગાન, જોધા અકબર અને પ્રેમ રતન ધન પાયોનો સમાવેશ થાય છે. નીતિનને ચાર વખત સર્વશ્રેષ્ઠ કલા નિર્દેશનનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો છે. એટલુ જ નહીં હમ દિલ દે ચૂકે સનમ અને દેવદાસ માટે તેને સર્વશ્રેષ્ઠ કલા નિર્દેશકનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે.

બે દિવસ પછી અંતિમ સંસ્કાર

નીતિન દેસાઈએ 2 ઓગસ્ટના રોજ આત્મહત્યા કરી હતી, ત્યારબાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો, જેમાં સ્પષ્ટ થયું હતું કે આર્ટ ડિરેક્ટરે ફાંસી લગાવી લીધી છે. હવે આજે એટલે કે 4 ઓગસ્ટે તેમના ફિલ્મ સ્ટુડિયોમાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જેમાં આમિર ખાન, આશુતોષ ગોવિરકર અને તમામ સેલેબ્સ સામેલ થયા હતા.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget