![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
The Kapil Sharma Show: 'બસ કંડક્ટર હૈ ક્યા...' પતિ સાથેની પહેલી મુલાકાતમાં આવી હતી સુધા મૂર્તિની પ્રતિક્રિયા, જુઓ ફની વીડિયો
Sudha Murthy Video: સોશિયલ વર્કર સુધા મૂર્તિ હાલમાં જ કપિલ શર્માના શોમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે દર્શકો સાથે ઘણી ફની વાતો શેર કરી હતી. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
![The Kapil Sharma Show: 'બસ કંડક્ટર હૈ ક્યા...' પતિ સાથેની પહેલી મુલાકાતમાં આવી હતી સુધા મૂર્તિની પ્રતિક્રિયા, જુઓ ફની વીડિયો The Kapil Sharma Show: 'Bus conductor hai kya...' Such was Sudha Murthy's reaction in her first meeting with her husband, watch funny video The Kapil Sharma Show: 'બસ કંડક્ટર હૈ ક્યા...' પતિ સાથેની પહેલી મુલાકાતમાં આવી હતી સુધા મૂર્તિની પ્રતિક્રિયા, જુઓ ફની વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/16/313798884026af9192b9f9c5ff1135251684210075209723_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
The Kapil Sharma Show: સામાજિક કાર્યકર અને ઈન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરપર્સન સુધા મૂર્તિએ તાજેતરમાં લોકપ્રિય ટીવી શો 'ધ કપિલ શર્મા શો'માં ગુનીત મોંગા અને રવિના ટંડન સાથે ભાગ લીધો હતો. જ્યાં તેણે પોતાના જીવન સાથે જોડાયેલી ઘણી ફની વાતો બધા સાથે શેર કરી. આ દરમિયાન સુધા મૂર્તિએ તેમના પતિ નારાયણ મૂર્તિ સાથેની તેમની પ્રથમ મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
સુધા મૂર્તિએ પ્રથમ મુલાકાતની વાર્તા કહી
સુધા મૂર્તિએ કપિલ સાથે વાત કરતા કહ્યું કે, મારા પતિના એક મિત્ર હતા, જેનું નામ પ્રસન્ના હતું. અમે જ્યારે પણ બસમાં નોકરીએ જતા ત્યારે તે રોજ એક પુસ્તક લઈને આવતો. જેના પર નારાયણ મૂર્તિ ઇસ્તંબુલ, નારાયણ મૂર્તિ પેશાવર, નારાયણ મૂર્તિ પેરિસ લખેલું હતું.. પછી મેં વિચાર્યું કે શું આ નારાયણ મૂર્તિ ઇન્ટરનેશનલ બસ કંડક્ટર છે?
મને લાગ્યું કે નારાયણ મૂર્તિ સુંદર હશે - સુધા મૂર્તિ
સુધા મૂર્તિએ વધુમાં જણાવ્યું કે, “એક દિવસ મે તેમને પૂછ્યું કે આ નારાયણ મૂર્તિ કોણ છે. પછી તેણે મને કહ્યું કે તે મારો મિત્ર છે. જે અગાઉ પેરિસથી ભારત આવ્યો છે અને તમને એકવાર મળવા માંગે છે. તેથી મને પણ લાગ્યું કે તે ફિલ્મી હીરો જેવો હશે, હેન્ડસમ, બોલ્ડ અને ડેશિંગ...”
આ સાથે સુધા મૂર્તિએ નારાયણ મૂર્તિના વજન વિશે વાત કરતાં એક મજાની વાત પણ કહી. તેણે કહ્યું, "નારાયણ મૂર્તિનું વજન લગ્ન સમયે જેટલું હતું એટલું જ છે, કારણ કે હું ખૂબ જ ખરાબ રસોઈ બનાવું છું.. તેથી જ મારા પતિનું વજન આટલું જ રહ્યું છે."
સુધા મૂર્તિને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે
તમને જણાવી દઈએ કે સુધા મૂર્તિના પતિ એનઆર નારાયણ મૂર્તિ ઈન્ફોસિસના કો-ફાઉન્ડર છે. સુધા મૂર્તિને તાજેતરમાં સામાજિક કાર્યમાં તેમના યોગદાન બદલ પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે. બંનેના લગ્ન વર્ષ 1978માં થયા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)