શોધખોળ કરો

આ બોલિવૂડ એક્ટરનો PM મોદીને ઓપન લેટર, કહ્યું- ‘નોટબંધી કરતાં પણ મોટી ભૂલ છે લોકડાઉન’

મને એ વાતનો ડર છે કે જે રીતે ડિમોનેટાઈઝેન બાદ દેશને નુકસાનનું ભોગવવું પડ્યું છે એવી જ રીતે લોકડાઉનની સાથે પણ થતું જોવા મળી રહ્યું છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના પ્રકોપની વચ્ચે ભારત સરકાર દ્વારા 3 સપ્તાહનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. એવામાં ઘણાં લોકો જીવનજરૂરીયાત વસ્તુ લેવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દેશમાં જે ગરીબ વર્ગના લોકો છે તેમને બે ટંકનું ભોજન મેળવવામાં પણ મુશ્કેલી થઈ રહી છે જ્યારે લોકો આ લોકડાઉનને કારણે બેરોજગાર થઈ ગયા છે. આ વાત સાઉથના સુપરસ્ટાર એક્ટર અને રાજનેતા કમલ હાસનન માટે પણ ચિંતાનો વિષય બની ગઈ છે અને તેણે એક પત્ર લખીને પોતાની વાત સામે રાખી છે. કમલ હાસને પોતાના લેટરમાં કહ્યું કે, પીએમ દ્વારા દેશભરમાં લોકડાઉનના નિર્ણયથી અસંતુષ્ટ છે અને તેમને એવું લાગે છે કે લોકડાઉન મોદી સરકાર દ્વારા કરવામાં આવેલ નોટબંધી બાદ સૌથી મોટી ભૂલ છે. કમલ હાસને લખ્યું કે- મેં 23 માર્ચના રોજ લખેલ એક મારા પત્રમાં વિનંતી કરી હતી કે આવી સ્થિતિ ઉભી ન કરવામાં આવે કે જેથી દેશભરમાં ગરીબોને મુશ્કલીનો સામનો કરવો પડે. પરંતુ તેના બીજા જ દિવસે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી. ઠીક એવી જ રીતે જે રીતે નોટબંધીની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તેમ છતાં મને પૂરો વિશ્વાસ વ્યક્ત કર્યો. પરંતુ હું ખોટો હતો અને તમે પણ ખોટા હતા. સમયે તમને ખોટા સાબિત કર્યા છે. આ બોલિવૂડ એક્ટરનો PM મોદીને ઓપન લેટર, કહ્યું- ‘નોટબંધી કરતાં પણ મોટી ભૂલ છે લોકડાઉન’ તમે દેશના લીડર છો અને 1.4 બોલિયન લોકો તમારી આજ્ઞાનું પાલન કરે છે. આજે વિશ્વભરમાં કોઈપણ બીજો નેતા એવો નથી જેની આટલી માસ ફોલોઇંગ હોય. સમગ્ર દેશ તમારા પર વિશ્વાસ કરે છે. અમે બધા તમારા નિર્દેશો પર ચાલવા માટે તૈયાર છીએ. હું પણ એક લીડર છું અને એક લીડર હોવાને કારણે લોકડાઉનને લઈને મારા કેટલાક સવાલ છે. મને એ વાતનો ડર છે કે જે રીતે ડિમોનેટાઈઝેન બાદ દેશને નુકસાનનું ભોગવવું પડ્યું છે એવી જ રીતે લોકડાઉનની સાથે પણ થતું જોવા મળી રહ્યું છે. ગરીબોની રોજગારી જોખમમાં છે અને તેમની દેખરેખ કરનારું તમારા સિવાય કોઈ નથી. જ્યાં એક બાજુ તમારા કહેવા પર લોકો દીવા પ્રગટાવે છે તો બીજી બાજુ દેશમાં એવા પણ ગરીબ છે જેમની પાસે ભોજન બનાવવા માટે તેલ પણ નથી. ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાઈરસના સંક્રમિતોના દર્દીઓનો આંકડો 4500ને પાર કરી ગયો છે.સૌથી વધારે 33 કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાના કારણે 132 લોકોના મોત થયા છે, જેમાં સૌથી વધારે 46 લોકોના મોક મહારાષ્ટ્રમાં જ થયા છે. આ આંકડાઓ covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. જો કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, સોમવારે 9 વાગ્યા સુધી સંક્રમિતોની સંખ્યા 4067 છે. જેમાંથી 291 સ્વસ્થ થઈ ચુક્યા છે, જ્યારે 109 દર્દીઓનું મોત થયું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget