જયપુરઃ ઐતિહાસિક ફિલ્મોને લઇને હવે દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલું થયા છે, પદ્માવત પર રાજપૂત સંગઠનોએ જોરદાર વિરોધ કરી અમુક રાજ્યોમાં ફિલ્મના પ્રદર્શનને અટકાવ્યું હતું, હવે આ સંકટ કંગનાની ફિલ્મ પર આવ્યું છે. બ્રાહ્મણ સમાજ કંગનાની ફિલ્મ મણિકર્ણિકાના વિરોધમાં ઉતર્યો છે.
2/9
અમે તે ઇતિહાસકારો વિશે પણ જાણવા માગીએ છીએ જેને ફિલ્મકારોએ સંપર્ક કર્યો છે. આ ફિલ્મનો વિરોધ પણ પદ્માવતના જેવો ના થયા તે માટે સરકારે કોઇ પગલું ભરવું પડશે.
3/9
4/9
નોંધનીય છે કે, ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનના ઝૂનઝૂનમાં થઇ રહ્યું છે. આ પહેલા નિર્માતા કેટલાક સીન જયપુરના અમેર કિલ્લા અને જોધપુરના મેહરાનગઢમાં શૂટ કરી ચૂક્યા છે.
5/9
મિશ્રાએ કહ્યું, 'અમારા સુત્રોએ જણાવ્યું કે નિર્માતા રાની લક્ષ્મીબાઇ અને એક અંગ્રેજની વચ્ચે લવ સૉન્ગ શૂટ કરી રહ્યાં છે. અમને શંકા છે કે ફિલ્મ જયશ્રી મિશ્રાના વિવાદિત પુસ્તક 'રાની' પર આધારિત છે. 9 જાન્યુઆરીએ અમે નિર્માતા કમલ જૈનને પત્ર લખીને લેખકો વિશે માહિતી આપવાની માંગ કરી હતી.
6/9
મહાસભાના અધ્યક્ષ સુરેશ મિશ્રાએ સોમવારે રાજસ્થાન સરકારને શૂટિંગને તત્કાલિક ધોરણે રોકીને એ સ્પષ્ટ કરવા કહ્યું કે, ઐતિહાસિક તથ્યો સાથે કોઇ છેડછાડ ના થાય. તેમને કહ્યું કે, શૂટિંગ ત્યારે જ થવા દઇશું જ્યારે નિર્માતા એ વાતનું આશ્વાસન આપે કે ફિલ્મમાં કોઇ આપત્તિજનક સીન હોય.
7/9
એક પ્રેસ કૉન્ફરન્સમાં મહાસભાના અધ્યક્ષે કહ્યું કે, જો ત્રણ દિવસમાં સરકારે તેની વાત ના સાંભળી તો તેઓ વિરોધને વધુ વેગ આપી દેશે. તે રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહ અને ગૃહમંત્રી ગુલાબ ચંદ કટારિયા સાથે પણ આ મામલે હસ્તક્ષેપ કરવા માટે કહેશે.
8/9
એટલે કે ક્વિન ઓફ ઝાંસી કી, જેને લઇને રાજસ્થાનમાં પદ્માવત જેવો આગ સળગે એવું લાગી રહ્યું છે.
9/9
એટલે કે દીપિકાની પદ્માવત બાદ કંગના રનૌતની ફિલ્મ 'મણીકર્ણિકા: ધ રાજસ્થાન, રાજસ્થાનમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને હવે રાજપૂત સેનાના પગલે હવે સર્વ બ્રાહ્મણ મહાસભા આનો વિરોધ કરી રહ્યું છે.