શોધખોળ કરો

પ્રિયંકા-નિકના લગ્ન થકી ઉમેદ ભવનને થઈ હતી તગડી કમાણી, એક્ટ્રેસે 4 દિવસમાં ઉડાવ્યા કરોડો રૂપિયા

પ્રિયંકા ચોપડાએ જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમાં વિદેશી નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા.

નવી દિલ્હીઃ પ્રિયંકા ચોપરા અને નિક જોનસનાં લગ્નને 1 વર્ષ થઇ ગયુ છે પણ લાગે છે કે, તેમનાં લગ્ન સાથે જોડાયેલાં કિસ્સા અને કહાનીઓ હજુ સુધી બહાર આવ્યા નથી. હવે આ જોડીનાં લગ્ન અંગે ખુલાસો થયો છે. જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. ઇન્ડિયન હોટલ્સ કંપની લિમિટેડનાં મુખ્ય કાર્યકારી અધિકારી અને ડિરેક્ટર પુનીત ચટવાલે ઉમેદ ભવનમાં થયેલાં પ્રિયંકા અને નિકનાં લગ્નથી હોટલને થયેલાં ફાયદાનો ખુલાસો કર્યો છે. ફક્ત 4 દિવસમાં પ્રિયંકાએ તેનાં લગ્નમાં એટલો ખર્ચો કર્યો કે આ હોટલને ત્રણ મહિનાનો નફો થઇ ગયો હતો. પ્રિયંકા-નિકના લગ્ન થકી ઉમેદ ભવનને થઈ હતી તગડી કમાણી, એક્ટ્રેસે 4 દિવસમાં ઉડાવ્યા કરોડો રૂપિયા પ્રિયંકા ચોપડાએ જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમાં વિદેશી નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. આ શાહી લગ્નમાં ફક્ત થોડા લોકો જ હાજર રહ્યા હતા. તેમ છતાં પણ ‘દેશી ગર્લ’એ આ લગ્નમાં તગડી રકમ ખર્ચ કરી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ લગ્નમાં માત્ર વેન્યૂ પાછળ જ 4 લાખ 61 હજાર અમેરિકન ડોલર (લગભગ 3.27 કરોડ રૂપિયા) ખર્ચ થયો હતો. જેમાં ચાર દિવસ સુધી ઉમેદ ભવનમાં રહેવાની મહેમાનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. હિંદુ અને ક્રિશ્ચન વિધિથી લગ્ન પણ ઉમ્મેદ ભવનમાં જ થયા હતા. પ્રિયંકા અને નિકના લગ્ન દરમિયાન આખો મહેલ ચાર દિવસ માટે બુક કરાયો હતો. આ ચાર દિવસ દરમિયાન કોઈ પણ બહારના વ્યક્તિના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પુનીત ચટવાલે કહ્યું, એ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો અમે એટલી આવક કરી હતી કે અમે ત્રણ મહિનામાં આરામથી કામ કરી શકીએ. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા અને નિકના લગ્ન વર્ષ 2018ના સૌથી ચર્ચાસ્પદ લગ્ન હતા. આ લગ્ન બાદ પ્રિયંકાએ દિલ્હી અને મુંબઈમાં તેના લગ્નનું ભવ્ય રિસેપ્શન પણ આપ્યું હતું. જણાવી દઈએ કે, ઉમેદ ભવન સૌથી શાનદાર પેલેસમાંથી એક છે. અહીં સુંદર બગીચાઓ વચ્ચે 347 રૂમ છે. બેન્ક્વેટ હોલમાં લગભગ 300 લોકો એકઠા થઈ શકે છે. જો કે, હવે તેને રેસ્ટોરાંમાં ફેરવી દેવાયું છે. મહત્વનું છે કે, આ વર્ષે પ્રિયંકા અને નિકના લગ્નને એક વર્ષ થઈ ગયું છે. ઉમેદ ભવનમાં થયેલા નિક-પ્રિયંકાના લગ્ન દેશ-દુનિયામાં ચર્ચાનો વિષય બન્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
Embed widget