શોધખોળ કરો
હવે નહીં જોવા મળે ‘દયાબેન’, પ્રોડ્યૂસરે નવા ચેહરાની શોધ કરી શરૂ

મુંબઈઃ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. લાંબા સમયથી દિશા વાકાણી (દયાબેન) શોમાં પરત ફવાને લઈને સસ્પેન્સ હવે ખત્મ થઈ ગયું છે. સબ ટીવીના જાણીતા કોમેડી શોમાં હવે દયાબેન જોવા નહીં મળે. શોના મેકર્સ હવે વધારે રાહ જોવાના મૂડમાં નથી. પ્રોડ્યૂસર અસિત મોદીનું કહેવું છે કે, તેમણે નવી દયાબેનની શોધખોળ શરૂ કરી દીધી છે.
બોમ્બે ટાઈમ્સને આપેલ ઇન્ટરવ્યૂમાં અસિત મોદીએ કહ્યું કે, ‘મારે નવી દયાબેનની શોધખોળ શરૂ કરવી પડશે. કોઈપણ શોથી મોટું ન હોઈ શકે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા નવા ચેહરા સાથે આગળ વધશે. કારણ કે દયાબેન વગર શોનો પરિવાર અધૂરો છે.’
અસિત મોદીએ કહ્યું કે, ‘આ દેશમાં અનેક સારી કામકાજી મહિલાઓ પ્રેગ્નેન્ટ થાય છે અને મેટરનિટી બ્રેક પર જાય છે બાળકને જન્મ આપે છે અને કામ પર પરત ફરે છે. આજે મહિલાઓ બાળકને જન્મ આપ્યા પછી પણ કામ કરે છે. અમે દિશાને રજા આપી, પરંતુ અમે કાયમી માટે રાહ ન જોઈ શકીએ.’
પ્રોડ્યૂસરે કહ્યું, ‘કોઈપણ એક્ટ્રેસને રાતોરાત રિપ્લેસ નથી કરી શકાતી. એક મહિના પહેલા કહાનીના ટ્રેક એડવાન્સમાં તૈયાર કરવા પડે છે. હાલમાં અમે દયાબેનના રોલ માટે ઓડિશનના શરૂઆતની પ્રક્રિયા શરૂ કરી છે. અમને હાલમાં નથી ખબર ભવિષ્યમાં શું થશે. પરંતુ એ ચોક્કસ કહીશ કે શો આગળ વધશે.’


વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
શિક્ષણ
દેશ
Advertisement