શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતના APL રેશનકાર્ડ ધારકોને મળશે 4 લિટર કેરોસીન, કેટલા પરિવારોને થશે લાભ? જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/02/06084739/kerosene2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![જયેશ રાદડીયાએ આ અંગે જણાવ્યું કે આવા પરિવારોને પ્રધાનમંત્રી ઉજજવલા યોજના-એકસપાંડેડનો અથવા રાજ્ય સરકારની PNG/LPG સહાય યોજનાનો ઝડપથી લાભ પ્રાપ્ત થાય ત્યાં સુધી જરૂરતમંદ પરિવારોને સબસીડાઇઝડ કેરોસીન પણ વૈકલ્પીક ઇંધણ રૂપે વધારાના જથ્થા તરીકે મળતું થાય તેવા ગરીબ સંવેદનાલક્ષી અભિગમથી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/02/06084743/kerosene3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જયેશ રાદડીયાએ આ અંગે જણાવ્યું કે આવા પરિવારોને પ્રધાનમંત્રી ઉજજવલા યોજના-એકસપાંડેડનો અથવા રાજ્ય સરકારની PNG/LPG સહાય યોજનાનો ઝડપથી લાભ પ્રાપ્ત થાય ત્યાં સુધી જરૂરતમંદ પરિવારોને સબસીડાઇઝડ કેરોસીન પણ વૈકલ્પીક ઇંધણ રૂપે વધારાના જથ્થા તરીકે મળતું થાય તેવા ગરીબ સંવેદનાલક્ષી અભિગમથી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
2/4
![મુખ્યમંત્રી સમક્ષ પ્રત્યક્ષ અને જિલ્લા પ્રવાસો દરમિયાન લોકપ્રતિનિધિઓ, વિવિધ સંગઠનો અને જરૂરતમંદ વર્ગોએ આ કેરોસીનનો જથ્થો જે રાજ્યના જિલ્લામથકોએ 1 ડિસેમ્બર-2018થી અને અન્ય વિસ્તારોમાં 1 જાન્યુઆરી 2019થી બંધ કરવામાં આવ્યો હતો તે પૂન: સરળતાથી મળી રહે તે માટે રજૂઆતો કરી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/02/06084739/kerosene2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુખ્યમંત્રી સમક્ષ પ્રત્યક્ષ અને જિલ્લા પ્રવાસો દરમિયાન લોકપ્રતિનિધિઓ, વિવિધ સંગઠનો અને જરૂરતમંદ વર્ગોએ આ કેરોસીનનો જથ્થો જે રાજ્યના જિલ્લામથકોએ 1 ડિસેમ્બર-2018થી અને અન્ય વિસ્તારોમાં 1 જાન્યુઆરી 2019થી બંધ કરવામાં આવ્યો હતો તે પૂન: સરળતાથી મળી રહે તે માટે રજૂઆતો કરી હતી.
3/4
![વિજય રૂપાણીએ આ રજૂઆતો પ્રત્યે સંવેદનાસ્પર્શી સકારાત્મક પ્રતિસાદ આપતાં હવે 1લી ફેબ્રુઆરીથી આઠ મહાનગરપાલિકા વિસ્તાર સિવાય સમગ્ર ગુજરાતમાં કાર્ડ દીઠ મહત્તમ 4 લીટર કેરોસીન APL રેશનકાર્ડ ધારકોને આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના 47 લાખ જેટલા પરિવારોને આનો લાભ મળશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/02/06084733/kerosene1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિજય રૂપાણીએ આ રજૂઆતો પ્રત્યે સંવેદનાસ્પર્શી સકારાત્મક પ્રતિસાદ આપતાં હવે 1લી ફેબ્રુઆરીથી આઠ મહાનગરપાલિકા વિસ્તાર સિવાય સમગ્ર ગુજરાતમાં કાર્ડ દીઠ મહત્તમ 4 લીટર કેરોસીન APL રેશનકાર્ડ ધારકોને આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના 47 લાખ જેટલા પરિવારોને આનો લાભ મળશે.
4/4
![ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના ગેસ જોડાણ વિનાના APL પરિવારોને ફેબ્રુઆરી-2019થી રેશનકાર્ડ દીઠ 4 લીટર સબસીડાઇઝ્ડ કેરોસીન જાહેર વિતરણ વ્યવસ્થા અન્વયે ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારના આ નિર્ણયને પરિણામે ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં APL રેશનકાર્ડ ધારકોને હવે આ 4 લીટર કેરોસીનનો સરળતાથી લાભ મળતો થવાનો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/02/06084729/kerosene.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના ગેસ જોડાણ વિનાના APL પરિવારોને ફેબ્રુઆરી-2019થી રેશનકાર્ડ દીઠ 4 લીટર સબસીડાઇઝ્ડ કેરોસીન જાહેર વિતરણ વ્યવસ્થા અન્વયે ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારના આ નિર્ણયને પરિણામે ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં APL રેશનકાર્ડ ધારકોને હવે આ 4 લીટર કેરોસીનનો સરળતાથી લાભ મળતો થવાનો છે.
Published at : 06 Feb 2019 08:48 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ભાવનગર
આરોગ્ય
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)