આ તમામ અધિકારીઓને પ્રમોશન સાથે એ જ જગ્યાએ યથાવત્ રાખવામાં આવ્યા છે, જ્યારે બે આઇએએસ અધિકારીઓની અરસ-પરસ બદલી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા કલેક્ટર આર. જે. માકડિયાને આદિજાતિ વિકાસ કમિશનર તરીકે અને આદિજાતિ વિકાસ કમિશનર દિલીપ રાણાને બનાસકાંઠા કલેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે.
2/2
ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા 1986 બેચના 5 આઇએએસ અધિકારીઓને પ્રમોશન અપાયું છે. તેમને અગ્ર સચિવમાંથી અધિક મુખ્ય સચિવ પદે પ્રમોશન અપાયું છે. કૃષિ વિભાગના અગ્ર સચિવ સંજય પ્રસાદ, મહેસૂલ વિભાગના પંકજ કુમાર, વાહન વ્યવહાર વિભાગના અગ્ર સચિવ વિપુલ મિત્રા, શ્રમ અને રોજગારના ડૉ. રાજીવ ગુપ્તા અને સ્ટેટ ટેક્સ કમિશનર પી. ડી. વાઘેલાને અધિક મુખ્ય સચિવ તરીકે પ્રમોશન અપાયું છે.