શોધખોળ કરો
અડાલજથી ગાંધીનગર રોડ કોમર્શિયલ ઝોન જાહેર, જાણો શું શું બનશે
1/6

કુડાસણ, અંબાપુર, પોર, સરગાસણ-૧, તારાપુર, ઉવારસદ ગામોમાં જનરલ એગ્રિકલ્ચર ઝોન અને નેચરલ ગામ તળ હતાં તેને રિલીઝ કરીને ત્યાં રેસિડેન્શિયલ ઝોન આર-પ જાહેર કરાતાં રિયલ એસ્ટેટ બિઝનેસ વધશે કેટલાક ગામોને રેસિડેન્શિયલ ઉપરાંત કોમર્શિયલ બંને ફાયદા મળશે, જેમાં કોલવડા, વાવોલ, ઉવારસદ, વાસણા, હડમતિયા, રાંદેસણ ગામનો કેટલોક વિસ્તાર એગ્રિકલ્ચર ઝોનમાંથી દૂર કરી રેસિડેન્શિયલ-પ જાહેર કરાયો છે. જ્યારે કોલવડા અને પેથાપુરના કેટલાક પોકેટ એરિયાના એગ્રિકલ્ચર ઝોનને દૂર કરી ઇન્ડસ્ટ્રિયલ ઝોનમાં ઉમેરાયો છે. અડાલજનો પોકેટ-૧૪ વિસ્તાર રિક્રિએશન ઝોનમાં હતો તેને આર-પ જાહેર કરાયો છે. જેથી અડાલજને રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બંને ફાયદા થશે.
2/6

જ્યારે સેકટર-પ-ર૧-ર૪માં ગ્રાઉન્ડ ઉપરાંત બે માળ વધુની પરવાનગી મળશે. ૭પ૦ ચો.મી. સુધીની ઇમારત રપ મીટર રાખી શકાશે અને રોડ સાઇડ માર્જિન ૬ મીટર હોય તો ઇમારતની ઉંચાઇ ૪પ મીટર સુધી રાખી શકાશે. આ અંગે ગુડાના ચેરમેન આશિષ છોએ જણાવ્યું હતું કે ગુડાના નવા વિકાસ પ્લાનથી અમદાવાદ-ગાંધીનગરને બે નવા રિંગરોડ મળતાં ટ્રાફિક સરળ થશે. લોકોનાં ઘરના ઘરની તકો વધશે અને ઇન્ડસ્ટ્રિયલ ઝોન ઉમેરાતા રોજગારીની તકો વધશે.
Published at : 10 May 2017 01:50 PM (IST)
View More























