શોધખોળ કરો
ફિક્સ પગારદારોનો મામલો કેમ પાછો ઠેલાયો? ગુજરાત સરકારે કરી કેવી રમત? હવે ક્યારે થશે સુનાવણી? જાણો
1/9

ફિક્સ પગારદારોના મામલે ગુજરાત સરકાર ભીંસમાં છે. છેલ્લી સુનાવણી વખતે સુપ્રીમના મુખ્ય ન્યાયમૂર્તિ ટી. એસ. ઠાકુરની બેંચે સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને ખખડાવીને કહ્યું હતું કે, સરકાર આ કર્મચારીઓના મુદ્દે ઝડપી નિર્ણય કરે, નહીંતર અદાલત આદેશ આપશે તો રાજ્ય સરકાર ‘નાદાર’ બની જશે.
2/9

અત્યારે ફિક્સ પગારનાં પાંચ વર્ષ પ્રોબેશનનો ગાળો ગણાય પણ તેને નોકરીમાં સળંગ ગણવાની ખાતરી અપાશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર ફિક્સ પગારદારોને હાલમાં છઠ્ઠા પગાર પંચ પ્રમાણે પગાર ની ખાતરી આપશે. પ્રોબેશનનો સમય પૂરો થાય પછી તેમને સાતમા પગાર પંચનો લાભ મળે તેવી એફિડેવિટ પણ સરકાર કરશે.
Published at : 11 Jan 2017 10:30 AM (IST)
View More























