શોધખોળ કરો
'હાર્દિક પટેલ પોતાની ફોર્ચ્યુનર વેચીને પૈસા શહીદ પાટીદારોના પરિવારને આપશે', મેસેજ વાયરલ
1/5

આ મેસેજ અંગે હાર્દિક પટેલે કહ્યું કે, વાયરલ થયેલા તમામ મેસેજીસ સાવ ખોટા છે. ઈરાદાપૂર્વક કોઈએ બે ફાંટા પાડવા માટે આવું કૃત્ય કર્યું હોય તેમ લાગે છે. મારા નામે ફરતો મેસેજ અને મેં તે મેસેજનો આપેલો જવાબ બંને મેસેજ તદ્દન પાયા વિહોણા છે.
2/5

ગાંધીનગર: પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલને લઈને સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો છે. આ વાયરલ મેસેજમાં કહેવાયું હતું કે, હાર્દિક પટેલ પોતાની ફોર્ચ્યુનર કાર વેચી તેના રૂપિયા ઉપરાંત એનસીપી દ્વારા દીલીપ સાબવાને આપવામાં આવેલા 81 લાખ તેઓ શહીદોના પરિવારને આપી દેવાના છે.
Published at : 23 Aug 2017 02:09 PM (IST)
View More























