શોધખોળ કરો
નવસારીમાં 3ને કચડનાર ST બસનો ડ્રાઈવર કેટલાં દિવસ પહેલાં નોકરી લાગ્યો હતો? જાણીને ચોંકી જશો
1/3

બે મહિલાઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા જ્યારે ગંભીર ઈજા પામેલા યુવાનને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા પરંતુ ત્યાં હાજર તબીબે એમને સારવાર દરમિયાન મૃત જાહેર કર્યાં હતા. આ ઘટના સમયે બસ ચાલક અકસ્માત કરી સ્થળ ઉપર બસ મુકી રફુચક્કર થઈ ગયો હતો. બસ મુકીને રફુચક્કરઆ પ્રવીણ મનુભાઈ દેવડિયા હજી 20 દિવસ પહેલાં જ ભરતી થયો હતો.
2/3

નવસારી એસ.ટી. ડેપોમાં સાંજના સમયે નવસારીથી અમલસાડ નવસારી ઈન્ટરસીટી બસનાં ચાલકે કહેવાતો નશો કરેલી હાલતમાં બસ પર કાબૂ જાળવી ના શકતા બસ પ્લેટફોર્મ નંબર 6 પર દોડી હતી. બસની રાહ જોઈને ત્યાં ઉભા રહેલા મૂસાફરો પર ધસી ગઈ હતી. બસને આવતી જોઈને ત્યાં ઉભેલા મૂસાફરો પોતાનો બચાવ કરવા માટે દોડ્યા હતાં. પરંતુ બે મહિલાઓ અને એક યુવાન પર બસ ચઢી ગઈ હતી જેથી તેઓ કચડાયા હતા.
Published at : 25 Dec 2018 09:46 AM (IST)
View More





















