યુવરાજસિંહ વરસોથી તેના મામાને ત્યાં વાડીમાં ભાગ રાખી કામ કરતા હતા. તેઓ પરિવાર સાથે તળાજાના વાલર ગામથી સ્થાઇ થયા હતા. બંને વચ્ચે પ્રેમ હતો કે કેમ? તે અંગે પરિવાર અજાણ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ ભાઈ-બહેને આ પગલું ભર્યં હતું. તળાજા પોલીસને ડોકટર દ્વારા જાણ કરવામાં આવી છે. પોલીસે આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે.
2/3
ભાવનગર: તળાજાના નવાગામ ખાતે રહેતા ક્ષત્રિય પરિવારના કૌટુંબિક ભાઇ-બહેને કૂવામાં ઝંપલાવી દેતા ભારે ચકચાર મચી ગઈ છે. બંનેને કૂવામાંથી બહાર કાઢી તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જોકે, યુવકનું મોત થયું છે. જ્યારે યુવતીને ગંભીર હાલતમાં ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
3/3
આ અંગેની વિગતો એવી છે કે, નવાગામની ગુણવંતબા શાંતુભા ગોહિલ તથા યુવરાજસિંહ બાપાલાલ સરવૈયા મામા-ફૈયાના દીકરા-દીકરી છે. ખેતીકામ કરી પરોઢીયે ઘરે આવેલા પરિવારને દીકરી ન મળતાં શોધખોળ શરૂ કરી હતી. શોધખોળફ કરતાં ગુણવંતબા અને યુવરાજસિંહ ધીરૂભા ગોહિલની વાડીના કુવામાંથી મળી આવ્યા હતા.