શોધખોળ કરો
પાસના ભૂતપૂર્વ નેતા ચિરાગ પટેલે કમલમ પહોંચીને અમિત શાહ સામે કરી ચોંકાવનારી રજૂઆત, જાણો વિગત
1/4

હાર્દિક પટેલ સાથે પાટીદાર આંદોલનમાં જોડાયા બાદ હાર્દિકની નીતિ-રીતિ સામે સવાલ ઉઠાવીને પાસથી છેડો ફાડનારા ચિરાગ પટેલે ભાજપના પ્રદેશ કાર્યાલય કોબા ખાતે એક સ્મૃતિ પત્ર પાઠવીને અનેક મુદ્દા યાદ કરાવ્યા છે. તેમણે લખ્યું છે કે, ગુજરાતની છ કરોડની જનતાને ભાજપના ૨૨ વર્ષના શાસન બાદ ભાજપ દ્વારા જે વાયદા કરાયા હતા તેમાંથી મોટા ભાગનાનો અમલ થયો નથી.
2/4

ઉપરાંત ચિરાગ પટેલે ગૌચરની જમીનો કંપનીઓને મફતમાં દાન આપવી, પાટીદાર સમાજની આડમાં ગુજરાતમાં તોફાનો, હિન્દુત્વના નામે પ્રજા સાથે છેતરપિંડી, આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા, દેશની જનતા પર નોટબંધી બાદ જીએસટી દ્વારા અત્યાચાર બાબતે આપ ગૌરવ અનુભવો છો તે પ્રશ્નો કર્યા છે.
Published at : 03 Oct 2017 02:16 PM (IST)
View More























