શોધખોળ કરો
પાટણમાં પાટીદારોએ બતાવવી તાકાત, આંદોલનમાં શહીદ યુવાઓને આપી શ્રદ્ધાંજલિ
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 27 Aug 2017 09:28 AM (IST)
1/12

કાર્યક્રમમાં આંદોલન દરમિયાન મોતને ભેટેલા ૧3 પાટીદાર યુવાનો ,બે ઘાયલ યુવાનો તેમજ દેશની સરહદ પર શહીદ થયેલા ચાર જવાનોના પરિવારજનોને આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી હતી. સભામાં મોટી સંખ્યામાં પાટીદાર ભાઇઓ અને બહેનો એકઠા થયા હતા.
2/12

આ અગાઉ એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો જોડાયા હતા. જય સરદાર જય પાટીદારના નારા સાથે ભવ્ય રેલી કાઢવામાં આવી હતી.
3/12

પાટણ: પાટીદાર આંદોલન શરૂ થયાને બે વર્ષ વીત્યા છે. ગઇકાલે પાટીદાર આંદોલનમાં શહીદ થયેલા પાટીદાર યુવાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણના પ્રગતિ મેદાન ખાતે ‘એક શામ શહીદો કે નામ’ના કાર્યક્રમમાં હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
4/12

ત્યારબાદ સાંજે આયોજીત સભામાં હાર્દિક પટેલ,લાલજી પટેલ ,રેશમા પટેલ,વરુણ પટેલ સહીતના પાસ અને એસપીજીના કાર્યકરોએ હાજરી આપી હતી અને પાટીદાર આંદોલનને ફરીથી વેગવંતુ બનાવવા લોકોને હાકલ કરી હતી.
5/12

લાલજીએ કહ્યું કે પાટીદાર આંદોલનમાં શહીદ થયેલા પાટીદાર યુવાઓનું બલિદાન એળે ન જવા જોઇએ. આપણે અંદરો અંદર લડાવવા પ્રયાસો થશે. પણ આપણા મત વડે ગદ્દારોને તાકાત બતાવવી પડશે. આંદોલનના બંને સંગઠનો એક સાથે જ રહેશે.
6/12

7/12

8/12

9/12

10/12

આ પ્રસંગે કોગ્રેસે પાટીદાર સમાજની લાગણી જીતવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં જિલ્લા પ્રમુખ કાનજી દેસાઇ, શહેર પ્રમુખ લાલેશ ઠક્કર, પાલિકા પૂર્વ પ્રમુખ અલકાબેન પટેલ, જાગૃતિબેન પટેલ, ચંદનજી ઠાકોર, દિપક અમીન, સિદ્ધપુરના દશરથ પટેલ તેમજ કોંગ્રેસના તમામ કોર્પોરેટરો હાજર રહ્યા હતા.
11/12

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ અને એસપીજીના વડા લાલજી પટેલ પાટણ ખાતે એક મંચ પર જોવા મળ્યા હતા. આ પ્રસંગે લાલજી પટેલે જણાવ્યું હતું કે, દરેક પાટીદાર એક એક સરદાર છે. કડવા લેઉવાના ઝેર હવે અમૃત થઇ ગયા છે. અનામત માટે 148 જેટલી રેલીઓ કરાઇ છે .14 શહીદો થયા છે.
12/12

લોકોને સંબોધતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, આગામી 28 તારીખે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભુપેન્દ્રસિંહ ચુડાસમા પાટણ આવી રહ્યા છે ત્યારે બહેનો તમારા હથિયાર સજાવી દો. તેઓ બીજીવાર ન આવે તેવા હાલ કરીને મોકલો. આપણા 144 પાટીદારો હજુ જેલમાં છે તેમને બહાર કાઢવા અને અનામત લેવા હુ઼ં અને લાલજી એક જ છીએ.
Published at : 27 Aug 2017 09:28 AM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
ગુજરાત
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
ગુજરાત
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
ગુજરાત
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
ગુજરાત
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ટ્રેન્ડિંગ સમાચાર





















