શોધખોળ કરો
ચૂંટણી ટાણે ફરી ધૂણ્યો એન્કાઉન્ટર કેસઃ IPSને ફાયદો, નાના અધિકારીને સજાના મેસેજ વાઈરલ
1/4

ગુજરાતમાં સત્તાધારી પક્ષ સોશિયલ મીડિયાના કારણે ચિંતામાં છે ત્યારે શોહરાબુદ્દીન અને તુલસી નકલી એન્કાઉન્ટર કેસના 38 આરોપીઓમાંથી રાજકીય નેતાઓ અમિત શાહ, ગુલાબચંદ કટારિયા તેમજ આઇપીએસ અધિકારીઓ ડી.જી વણજારા,અભય ચુડાસમા, રાજકુમાર પાંડિયન, એન.કે અમીન, એમ.એન દિનેશ તેમજ અન્ય અધિકારીઓ મળીને 16 જેટલા અધિકારીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે તો બીજી તરફ 22 જેટલા ડીવાયએસપી, પી.આઇ સહિતના અધિકારીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા નથી.
2/4

ગુજરાત પોલીસના ડીવાયએસપી તેમજ પી.આઇ કક્ષાના અધિકારીઓ કે જેઓ શોહરાબુદ્દીન તેમજ તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસના આરોપીઓ છે. 22 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સોશિયલ મીડિયાના કેમ્પેઇનમાં જોડાયા છે. પોતાની સાથે અન્યાય થઇ રહ્યો હોવાનું તેઓ રટણ કરી રહ્યા છે. મુદ્દે સરકારમાં અને કેસ સાથે સંકળાયેલા લોકોમાં ફરીથી ફફડાટ વ્યાપ્યો છે.
Published at : 12 Oct 2017 12:01 PM (IST)
View More























