શોધખોળ કરો
ગુજરાતના ફિક્સ પગારદારોને અપાયો બીજો મોટો લાભ, જાણો વિગતો
1/4

૯ મહિના પછી તેના અમલ માટે વિભાગના નાયબ સચિવની સહીથી પરિપત્ર પ્રસિધ્ધ થયો છે, જેમાં જણાવાયુ છે કે ”સરકારના કામ માટે ફિક્સ પગારે રખાયેલા તેવા પ્રત્યેક કર્મચારી કે જેમને કોઈપણ અધિનિયમ હેઠળ સામાજિક સુરક્ષાના લાભો મળતા નથી તેવા કર્મચારીઓનો ભવિષ્યનિધિ ફાળો અચુકપણે કપાય અને તેમને સામાજિક સુરક્ષાના લાભ મળે તેનુ ધ્યાન રાખવામાં આવે
2/4

ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયે જુલાઈ ૨૦૧૫ અને ત્યારબાદ જુન- ૨૦૧૬માં પત્રો લખીને ગુજરાત સરકાર અને આધિન તમામ સંસ્થાઓમાં તમામ પ્રધ્ધિતીઓથી કાર્યરત માનવબળને સામાજિક સુરક્ષાનુ છત્ર મળી રહે તેના માટે ભવિષ્યનિધી અને પરચૂરણ જોગવાઈઓના અધિનિયમ- ૧૯૫૨ હેઠળ આવરી લેવા સુચના આપી હતી.
Published at : 11 Mar 2017 04:07 PM (IST)
View More























