શોધખોળ કરો
ગુજરાતના સરકારી કર્મચારીઓને મળશે મોટી ભેટ, જાણો કેટલી કરાશે નિવૃત્તિ વયમર્યાદા? જાણો વિગત
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 01 Apr 2018 11:30 AM (IST)
1/8

સરકારી વિભાગોમાં ખાલી જગ્યાઓની ભરતી સામે વિકલ્પ તરીકે અત્યારની વય મર્યાદા વધારવાનો નિર્ણય સરકાર માટે આર્થિક રીતે પણ ફાયદારૂપ સાબિત થાય તેમ છે. આથી ગુજરાતમાં પણ સરકારી કર્મચારીઓની નવી ભરતી સાથે વય મર્યાદા વધારવાનો નિર્ણય થાય તેવી શક્યતા છે.
2/8

જોકે મધ્યપ્રદેશની જાહેરાત સાથે ગુજરાતની ભાજપ સરકાર પણ આ બાબતે ગંભીરતાથી વિચારણા કરી રહી છે. કારણ કે,ગાંધીનગરમાં સચિવાલય સહીત સમગ્ર રાજ્યમાં વર્ષ બે વર્ષમાં સીનીયર કર્મચારીઓ ઘણી મોટી સંખ્યામાં નિવૃત થઈ રહ્યા છે. આથી આ ખાલી જગ્યાઓ પર ઝડપથી કાયમી ભરતી કરવા સાથે અનુભવી કર્મીઓના વિકલ્પમાં આઉટસોર્સથી ભરતી પર નિયંત્રણ મુકવું પડશે.
3/8

ભાજપ સત્તા ઉપર આવતા શાંત થઈ ગયેલ આ માંગણીઓ તાજેતરમાં જ મળેલા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં બુલંદ બની હતી. સામાન્ય બજેટથી લઈ વિવિધ વિભાગોની માંગણીઓ પરની ચર્ચામાં ધારાસભ્યોએ નિવૃત્તિ પછી એક્ષટેન્શન આપવાની પ્રથા તેમજ આઉટસોર્સિંગ કે કોન્ટ્રાક્ટથી ભરતી બંધ કરવા માટે જોરશોરથી રજૂઆતો કરી હતી ત્યારે સરકાર તરફથી કોઈ હકારાત્મક જવાબ આપવામાં આવ્યો નહોતો.
4/8

ગુજરાત વિધાનસભાની ચાર મહિના પહેલા જ યોજાયેલી ચૂંટણી વખતે વિવિધ કર્મચારી મંડળો તથા કોંગ્રેસ પક્ષ દ્વારા નિવૃત્તિ પછી એક્ષટેન્શન આપવાની પ્રથા તેમજ આઉટસોર્સિંગ કે કોન્ટ્રાક્ટથી ભરતી બંધ કરવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી હતી.
5/8

ભાજપ શાસિત મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા ટૂંક સમયમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી તમામ સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદા 60 વર્ષથી વધારીને 62 વર્ષ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે દરેક કર્મચારી ને તેમના સેવાકાળ દરમિયાન પ્રમોશનનો લાભ મળતો નહીં હોવાથી આ વયમર્યાદા વધારવાની જાહેરાત કરી છે. તેના સંદર્ભમાં ગાંધીનગર સચિવાલયના કર્મચારીઓમાં પણ ફરી એકવાર નવી આશા સાથે વય મર્યાદા વધારવાની માંગનો અવાજ ઉંચો થઈ ગયો છે.
6/8

વિધાનસભાના બજેટ સત્રમાં વિરોધ પક્ષના મોટા ભાગના ધારાસભ્યો દ્વારા નિવૃત્તિ પછી એક્ષટેન્શન આપવાની પ્રથા તેમજ આઉટસોર્સિંગ કે કોન્ટ્રાક્ટથી ભરતી બંધ કરવા માટે કરાયેલી રજૂઆતના સંદર્ભમાં રાજ્ય સરકારે પણ કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદા વધારીને 60 વર્ષની ક્રરવાની દિશામાં પ્રક્રિયા હાથ ધરી છે.
7/8

આ અંગેનો નિર્ણય આવતા સપ્તાહે મળનારી કેબિનેટની બેઠકમાં લેવામાં આવશે તેમ ભાજપનાં સૂત્રોએ જણાવ્યું હતું. આ નિર્ણયનો અમલ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યના લગભગ તમામ કર્મચારી મંડળો દ્વારા સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદા 58 વર્ષથી વધારીને 60 વર્ષ કરવાની માંગણી કરવામાં આવી હતી.
8/8

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની બેઠકો ઘટી તેનું પુનરાવર્તન લોકસભાની ચૂંટણીમાં ના થાય એટલે ભાજપ સરકારે વિવિધ વર્ગનાં લોકોને રાજી કરવાના પ્રયત્નો શરૂ કર્યા છે. તેના ભાગરૂપે ગુજરાતમાં સરકારી કર્મચારીઓને સરકાર બહુ મોટી ભેટ આપપવા વિચારી રહી છે. રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદા 58 વર્ષથી વધારીને 60 વર્ષ કરવા વિચારણા થઇ રહી છે.
Published at : 01 Apr 2018 11:30 AM (IST)
Tags :
Gujarat GovernmentSponsored Links by Taboola
ટોપ સ્ટોરી
ગુજરાત
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
ગુજરાત
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! 30 જિલ્લાઓમાં એલર્ટ જાહેર, જાણો ઓરેન્જ એલર્ટવાળા 4 જિલ્લા કયા છે?
ગુજરાત
Gold-Silver Price: ચાંદીમાં ₹2.03 લાખનો રેકોર્ડ તોડ કડાકો! સોનું પણ થયું સસ્તું, જાણો નવા ભાવ
ગુજરાત
CERC લેબ ટેસ્ટમાં મોટો ધડાકો: ₹5-10 ના પડીકા બાળકોના હૃદય અને પેટને કેવી રીતે કરે છે બીમાર?
ટ્રેન્ડિંગ સમાચાર






















