અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલ તથા લાલજી પટેલ અને અંબાલાલ પટેલને આજે કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. વિસનગરમાં નિકળેલી પાટીદારોના અનામતના સમર્થનમાં નિકળેલી રેલી દરમિયાન થયેલાં તોફાન મામલે વિસનગર કોર્ટે આજે ચુકાદો આપ્યો હતો.
2/3
આ રેલી દરમ્યાન ભાજપના ધારાસભ્યની ઋષિકેશ પટેલની ઓફીસમાં તોડફોડ, કેમેરા તોડવા અને મોબાઈલ લૂંટવાની ફરિયાદ મામલે નોંધાઈ હતી. આ કેસમાં કુલ 17 આરોપીઓ હતા. આ આરોપીઓમાં પાસના હાર્દિક પટેલ અને સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ના લાલજી પટેલનો સમાવેશ થતો હતો.
3/3
નોંધનીય છે કે, આ પહેલા જ્યારે આ કેસમાં હાર્દિક પટેલની ધરપકડ થઈ હતી ત્યારે કોર્ટમાં જામીન મેળવવા કરેલી અરજીમાં હાર્દિક પટેલે એવું કહ્યું હતું કે, તેની સામે જે નિવેદનનો આધાર લેવાયો છે તે નિવેદનમાં મારું નહીં પરંતુ કોઈ હાર્દિક ચંદુલાલ પટેલનું નામ છે અને મને ખોટી રીતે આ કેસમાં સંડોવી દેવામાં આવ્યો છે.