શોધખોળ કરો
કુંવરજીએ પાટીદાર અપક્ષ ઉમેદવારને ફોન કરીને કહ્યુંઃ વોર્ડની ચૂંટણી હારેલા એટલે હવે વિધાનસભા લડવા આવ્યા ? પાટીદારે શું આપ્યો જવાબ ?
1/5

કોળી મતોનો પ્રભુત્વ ધરાવતી જસદણ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંનેએ કોળી ઉમેદવારો ઉતાર્યા છે. જોકે, જસદણ જીતવા પાટીદાર મતો નિર્ણાયક બને છે. જેની અવગણના ભારે પડી શકે તેમ હોવા છતાં કુંવરજીના શબ્દોથી આખું ભાજપ ભીંસમાં મુકાયું છે.
2/5

પાટીદારોને બદલે ઓબીસીને મહત્વ આપવાની ભાજપની નીતિથી ચૂંટણી હારી જવાનો કુંવરજીનો ભય સ્પષ્ટપણે છતો થયો છે. સિંચાઈને કારણે ખેડૂતો પહેલાથી જ રોષે ભરાયેલા છે ત્યારે લોક રક્ષક પેપર લીકકાંડથી યુવાનોમાં પણ આક્રોશ ફાટી નિકળ્યો છે. તેવામાં જસદણ વિધાનસભા પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરવા માટે ચૂંટણી અધિકારી પાસેથી ફોર્મ લેનારા ભંડારિયા ગામના કિશોર ભગવાનભાઈ સગપરિયાને ફોન કરી કુંવરજી બાવળિયા ગર્ભીત ચેતવણી આપી રહ્યા હોય તેવો ઓડિયો વાઈરલ થયો છે.
Published at : 06 Dec 2018 10:13 AM (IST)
View More























