શોધખોળ કરો
નડિયાદ આપઘાત કેસઃ કલ્પના સાથે જય પંચાલે શા માટે કર્યો હતો ઝઘડો? જાણો કારણ
1/6

નડિયાદ: શહેરના ચકચારી કલ્પના રોહિત આપઘાત કેસમાં એક પછી એક વિગતો સામે આવી હતી. ગઈ કાલે જય પંચાલ ઉપરાંત રોહિત મહેશ્વરીનું નામ પણ આપઘાત કેસમાં સામે આવ્યું હતું. ત્યારે હવે એવી ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, કલ્પનાએ આપઘાત કર્યો તે પહેલા જય પંચાલ સાથે તેનો ઝઘડો થયો હતો અને આ ઝઘડા પછી લાગી આવતાં તેણે આ પગલું ભર્યું હતું.
2/6

કલ્પના રોહિતે કર્મવીર સામ્રાજ્ય ફ્લેટના નવમાં માળેથી પડતું મૂકી આપઘાત કરતા પહેલાં કલ્પના અને તેના બોયફ્રેન્ડ જય પંચાલ વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. આ ઝઘડાના મૂળમાં રોહિત મહેશ્વરી સાથેના સંબંધો કારણભૂત હતા. બંને વચ્ચે રોહિત મહેશ્વરી અને કલ્પના રોહિત વચ્ચે ફોન પર વાત કરવાને લઈને ઝઘડો થયો હતો. કલ્પના રોહિત સાથે વાત કરતી હોવાથી તેને ગમ્યું નહોતું.
Published at : 15 Sep 2017 11:18 AM (IST)
View More























