સવર્ણ આયોગની રચના બાબતે પક્ષ દ્વારા જાહેરાત કરાઈ છે. આ આયોગ પણ શૈક્ષણિક અને આર્થિક ઉપાર્જનની સમાન તક આપવાના ઉદ્દેશમાં મદદરૂપ થશે. કોંગ્રેસ આ બાબતનો સમાવેશ ચૂંટણી ઢંઢેરામાં પણ કરશે. ૧૯૯૪ પછી અલગ અલગ નવ રાજ્યોમાં ૫૦ ટકાથી વધુ અનામત આપવામાં આવી હોવાની વાત પણ હાર્દિક પટેલે કરી હતી.
2/5
આ પ્રકારની જોગવાઇને સ્પેશિયલ કેટેગરી કે અન્ય કોઇ પણ નામ આપી શકાય. કોંગ્રેસ આ માટે કમિશનની રચના કરીને સર્વે કરાવશે અને તેના આધારે જે સમુદાયોને બંધારણના આર્ટિકલ-૧પ/૪ અને ૧૬/૪ મુજબ અનામતનો લાભ અપાયો નથી. તેવા સમુદાયોને અનામત આપવાની કોંગ્રેસે ખાતરી આપી છે.
3/5
આ કાયદા હેઠળ સ્પેશિયલ કેટેગરીમાં સમાવેશ કરવાના સમુદાયને નિશ્ચિત કરવા રાજ્ય સરકાર દ્વારા તમામ સ્ટેક હોલ્ડર સાથે પરામર્શ કરી એક કમિટીની રચના કરાશે.
4/5
હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, એસસી, એસટી અને ઓબીસી વર્ગ માટેની હાલની 49 ટકા અનામતનાં માળખાંમાં કોઇ પણ જાતના ફેરફાર કર્યા વગર બંધારણના આર્ટિકલ-૩૧-સીને ધ્યાનમાં રાખીને બંધારણના ૪૬ની જોગવાઈમુજબ કોંગ્રેસ પક્ષ જો સત્તા પણ આવશે તો આગામી વિધાનસભામાં વિધેયક રજૂ કરશે.
5/5
અમદાવાદઃ આજે હાર્દિક પટેલે અનામત મુદ્દે કોંગ્રેસ સાથે થયેલ સહમતીને લઈને અનેક ખુલાસા કર્યા હતા. હાર્દિક પટેલે કોંગ્રેસ દ્વારા કેવી રીતે અનામત આપવામાં આવશે તેની વિગતવાર જાણકારી આપી હતી.