આમ રાજ્યસભાની 58 સીટ માટે થનારી ચૂંટણીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, બિહાર, આંધ્ર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, હરિયાણા અને ઉત્તરાખંડમાંથી કુલ 33 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. જ્યારે રાજ્યસભાની કુલ 25 સીટ માટે હવે 23 માર્ચના રોજ ચૂંટણી યોજાશે જેમાં યૂપીની 10, પશ્ચિમ બંગાળની 5, કર્ણાટકની 4, ઝારખંડની 2, છત્તીસગઢની 1 અને તેલંગાણાની 3 સીટ માટે ચૂંટણી યોજાશે.
2/6
રાજસ્થાનમાં પણ રાજ્યસભાની ત્રણ બેઠક પર ભાજપના ત્રણ નેતા સર્વાનુમતે ચૂંટાઈ ગયા છે. કોંગ્રેસે રાજસ્થાનમાં એક પણ ઉમેદવારને ઊભો નહીં રાખવાની જાહેરાત કરી હતી. ઉત્તરાખંડ અને હરિયાણામાં પણ રાજ્યસભાની એકમાત્ર બેઠક પર ભાજપના ઉમેદવાર ચૂંટાયા છે. બિહારમાં ભાજપના ત્રણ અને મહા ગઠબંધનના ત્રણ-ત્રણ ઉમેદવારો રાજ્યસભામાં સર્વાનુમતે ચૂંટાયા છે.
3/6
મહારાષ્ટ્રમાંથી ભાજપના એક ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચતા તમામ 6 બેઠક બિનહરીફ ચૂંટણી થઈ છે. ભાજપના પ્રકાશ જાવડેકર, નારાયણ રાણે અને વી. મુરલીધન બિનહરીફ ચૂંટાયા છે. એ જ રીતે કુમાર કેતકર (કોંગ્રેસ), અનિલ દેસાઈ (શિવસેના) અને વંદના ચવ્વાહણ (એનસીપી) બિનહરીફ ચૂંટાઈ ગયા છે.
4/6
આ ઉમેદવારમાં ભાજપના કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, સામાજિક ન્યાય અને અધિકાર મંત્રી થાવરચંદ ગેહલોત, મીસાબંધી સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ કૈલાશ સોની અને ભાજપના વરિષ્ઠ નેતા અજય પ્રતાપ સિંહનો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશથી કોંગ્રેસના રાજમણિ પટેલ રાજ્યસભાના ઉમેદવાર તરીકે ચૂંટાયા છે.
5/6
૩મી માર્ચે ૧૬ રાજ્યમાં રાજ્યસભાની ૫૮ બેઠક માટે ચૂંટણીઓ થવાની હતી, પરંતુ તેમાંથી ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં રાજ્યસભાના ઉમેદવારો ચૂંટાઈ ગયા છે. ગુજરાતની જેમ મધ્યપ્રદેશથી ભાજપના ચાર અને કોંગ્રેસના એક ઉમેદવાર સર્વાનુમતે રાજ્યસભા માટે ચૂંટાઈ ગયા છે.
6/6
નવી દિલ્હીઃ ગુજરાતથી રાજ્યસભા માટે આજે ચાર ઉમેદવાર સર્વાનુમતે ચૂંટાઇ ગયા છે, જેમાં બે ભાજપ અને બે કોંગ્રેસના છે. થોડા દિવસ પહેલાં આ બંને પક્ષના બે ઉમેદવારની છેલ્લી ઘડીએ નામાંકન કરીને મુકાબલો કરવાની સંભાવના હતી. જોકે, હવે ચૂંટણી અધિકારીઓએ ભાજપના કેન્દ્રિય મંત્રીઓ પુરુષોત્તમ રૃપાલા, મનસુખ માંડવિયા અને કોંગ્રેસના નારણ રાઠવા અને અમી યાજ્ઞિાકનું નામ જાહેર કરી દીધું છે. આજે રાજ્યસભાના ઉમેદવાર તરીકેનું નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ હતી.