શોધખોળ કરો
અમરનાથ યાત્રા પર હુમલો થશે એ બાતમી 15 દિવસ મળેલી છતાં હુમલો કેમ ના રોકાયો? જાણો આઘાતજનક કારણ
1/5

સૂત્રોએ જણાવ્યું કે, હુમલાનો ભોગ બનેલ બસ (GJ09Z 9976) સાંજે 4-40 કલાકે શ્રીનગરથી વૈષ્ણોદેવી માટે રવાના થઈ હતી. શ્રીનગરથી વૈષ્ણોદેવીનું અંતર 250 કિલોમીટર છે, જેને કાપવામાં અંદાજે 5-6 કલાકનો સમય લાગે છે. એટલે કે બસ મોડી નીકળી હતી. યાત્રિઓને કહેવામાં આવ્યું હતું કે શ્રીનગરથી 50 કિલોમીટર ચાલ્યા બાદ સંગમમાં ડ્રાઈવરને બસમાં પંક્ચર હોવાનું જાણવા મળ્યું. ત્યાર બાદ રસ્તામાં જ રોકીને તેણે ટાયર બદલ્યું. તેના કારણે બસ એક કલાક મોડી પડી. સુરક્ષાદળોના જવાનોની સવારે 4 કલાકથી સાંજે 7 કલાક સુધી હાઈવે પર પેટ્રોલિંગની ડ્યૂટી છે. પરંતુ બસ તે પછીના સમયમાં ચાલી રહી હતી.
2/5

આ એલર્ટનો ખુલાસ જમ્મૂ-કાશ્મીર પોલીસના આઈજી (કાશ્મીર ઝોન) મુનીર ખાને હરિયાણા, પંજાબ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના અધિકારીઓ સમક્ષ કર્યો હતો. આ જ રાજ્યોમાંથી અમરનાથ યાત્રા માટે સૌથી વધારે લોકો જાય છે. અમરનાથ દર્શન કરીને પરત ફરી હલે 60 યાત્રિઓની બસ પર સોમવારે આતંકીઓએ હુલમો કર્યો હતો જેમાં 7 તીર્થયાત્રિઓનું મોત થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, હુમલાનો ભોગ બનેલ બસમાં પ્રવાસ કરી રહેલ લોકોએ બે દિવસ પહેલા જ અમરનાથ ગુફાના દર્શન કર્યા હતા અને ત્યાર બાદ સોમવારે સાંજે જમ્મૂ પરત ફરી રહ્યા હતા.
Published at : 12 Jul 2017 11:09 AM (IST)
Tags :
Amarnath-View More























