શોધખોળ કરો
આર્થિક ધોરણે જ આપવી હોય તો અનામત મુસ્લિમોને પણ મળે, જાણો ક્યા રાષ્ટ્રીય નેતાએ કરી માગ
1/4

નવી દિલ્હીઃ બહુજન સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ એસસી/એટી બિલમાં સંશોધનનું સ્વાગત કરતાં એક નવો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે આર્થિક આધારે લઘુમતીઓને અનામત આપવાની માગનું સમર્થન કરતાં કહ્યું કે, ગરીબ મુસ્લિમોને માટે પણ અનામત વ્યવસ્થા હોવી જોઈએ.
2/4

માયાવતીએ કહ્યું કે, જો કેન્દ્ર સરકાર સવર્ણ ગરીબ લોકોને બંધારણમાં સંશોધન દ્વારા અનામત આપવા માટે કોઈ નિર્ણય કરે છે તો બીએસપી સૌથી પહેલા તેનું સમર્થન કરશે. સાથે જ માયાવતીએ કહ્યું કે, મુસ્લિમ અને અન્ય ધાર્મિક લઘુમતી લોકોમાં પણ ગરીબી છે. એવામાં જો કેન્દ્ર સરકાર સવર્ણો માટે કોઈ નિર્ણય લે છે તો મુસ્લિમો અને અન્ય ધાર્મિક લઘુમતી માટે પણ અનામતની વ્યવસ્થા કરવી જોઈએ.
Published at : 07 Aug 2018 12:57 PM (IST)
Tags :
MayawatiView More





















