જોકે, હવે આ બિલ રાજ્યસભામાં રજૂ થશે. ત્યાં મંજૂરી મળ્યા બાદ આને લાગુ કરવાની વ્યવસ્થા કરવામાં આવી શકે છે.
2/6
બિલમાં એ પણ જોગવાઇ કરવામાં આવી છે કે જો ચેક આપનારો વ્યક્તિ ચેક બાઉન્સના આરોપથી છુટી જાય છે તો કોર્ટ આ રકમ પરત આપવા માટે પણ કહી શકે છે, તે પણ વ્યાજ સાથે.
3/6
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શબિ પ્રતાપ શુક્લાએ બિલ રજૂ કરતાં કહ્યું કે આ બિલથી ચેક બાઉન્સના કિસ્સાઓમાં ઘટાડો આવશે અને બેન્કિંગ સિસ્ટમ પર લોકોનો વિશ્વાસ વધશે.
4/6
આ બિલમાં એ જોગવાઇ કરવામાં આવી છે કે જો કોઇએ આપેલો ચેક બાઉન્સ થઇ જાય છે તો કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં તમારે ભારે-ભરખમ રકમ આપવી પડી શકે છે. આ વચ્ચેના વળતર માટે જેટલો ચેક આપવામાં આવ્યો હતો તેની 20 ટકા હોઇ શેક છે.
5/6
સોમવારે લોકસભામાં નેગૉશિએબલ ઇન્સ્ટ્રૂમેન્ટ્સ (અમેન્ડમેન્ટ) બિલ લાવવામાં આવ્યું, બિલ ધ્વનિ મતથી પસાર થયું, સંસદ તરફથી જો આને મંજૂરી મળી જશે તો ચેક બાઉન્સના કેસોમાં કેટલીય વસ્તુઓ બદલાઇ જશે.
6/6
નવી દિલ્હીઃ ચેક બાઉન્સના કિસ્સાઓને જોતા સોમવારે કેન્દ્ર સરકાર એક ખાસ બિલ લોકસભામાં લાવી, ધ્વનિ મતથી પસાર થયેલા આ બિલમાં ચેક બાઉન્સ થવા પર ભારે-ભરખમ વળતર આપવાની જોગવાઇ કરવામાં આવી છે.