રાયપુર: છત્તીસગઢના દંતેવાડામાં દૂરદર્શનની ટીમ પર નક્સલી હુમલો થયો છે. આ હુમલામાં દૂરદર્સનના કેમેરામેનનું મોત થયું છે. જ્યાં હુમલો થયો તે જગ્યાનું નામ અરનપુર છે. આ એ સ્થળ છે જ્યાં પ્રથમ વખત મતદાન થવાનું છે. દૂરદર્શનની ટીમ તેના જ રિપોર્ટીંગ માટે પ્રવાસ પર છે.
2/3
તેમણે જણાવ્યું કે દૂકદર્શનની ટીમ પર પણ નક્સલિઓએ ગોળીબાર કર્યો છે, જેમાં કેમેરામેન અચ્યુતાનંદ સાહૂનું ગોળી લાગવાથી મોત થયું છે. અન્ય એક પત્રકારને પણ ઈજા થઈ હોવાની સુચના છે.
3/3
દંતેવાડા પોલીસ અધિક્ષક અભિષેક પલ્લવને જણાવ્યું કે, અરનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નીલવાયામાં મંગળવારે નક્સલિઓ ઘાતક હુમલો કર્યો હતો. આ અથડામણમાં એએસઆઈ રૂદ્રપ્રતાપ અને સહાયક મંગલરામ શહીદ થયા છે. જ્યારે જવાન વિષ્ણ નેતામ અને સહાયક આરક્ષક રાકેશ કૌશલ ઘાયલ થયા છે.